عَنْ حَكِيمِ بْنِ حِزَامٍ رَضِيَ اللَّهُ عَنْهُ، قَالَ:
قُلْتُ: يَا رَسُولَ اللَّهِ، أَرَأَيْتَ أَشْيَاءَ كُنْتُ أَتَحَنَّثُ بِهَا فِي الجَاهِلِيَّةِ مِنْ صَدَقَةٍ أَوْ عَتَاقَةٍ، وَصِلَةِ رَحِمٍ، فَهَلْ فِيهَا مِنْ أَجْرٍ؟ فَقَالَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «أَسْلَمْتَ عَلَى مَا سَلَفَ مِنْ خَيْرٍ».

[صحيح] - [متفق عليه]
المزيــد ...

હકીમ બિન હિઝામ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે:
મેં કહ્યું: હે અલ્લાહના રસૂલ ! હું અજ્ઞાનતાના સમયે ઈબાદતની નિયતથી જે સદકો કરતો હતો અને ગુલામો આઝાદ કરતો હતો અને સગા સંબંધીઓ સાથે સારો વ્યવહાર કરતો હતો, શું મને તે કાર્યોનો બદલો આપવામાં આવશે? નબી ﷺ એ કહ્યું: «તમે તે નેકીઓ પર ઇસ્લામ લાવ્યા છો જે તમે પહેલા કરી ચુક્યા છો».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ

સમજુતી

આ હદીષમાં નબી ﷺ જણાવી રહ્યા છે કે કાફિર જ્યારે ઇસ્લામ લાવે, તો તેણે ઇસ્લામ લાવ્યા પહેલા અજ્ઞાનતા સમયે કરેલા નેક કામોનો સંપૂર્ણ બદલો આપવામાં આવશે, જેવું કે સદકો, ગુલામોને આઝાદ કરવું અને સિલા રહેમી કરવી.

ભાષાતર: અંગ્રેજી ફ્રેન્ચ સ્પેનિશ તુર્કી ઉર્દુ ઇન્ડોનિષયન બોસ્નિયન બંગાલી ચાઈનીઝ ફારસી હિન્દી વિયેતનામીસ સિન્હાલા ઉઇગુર કુરદી હૌસા મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية الدرية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. કાફિરના નેક અમલનો બદલો દુનિયામાં જ આપવામાં આવશે, જો તે કુફ્રની સ્થિતિમાં મૃત્યુ પામશે તો તેને આખિરતમાં કોઈ સવાબ નહીં મળે.
વધુ