+ -

عَنْ سَعْدِ بْنِ أَبِي وَقَّاصٍ رضي الله عنه عَنْ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ أَنَّهُ قَالَ:
«مَنْ قَالَ حِينَ يَسْمَعُ الْمُؤَذِّنَ أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، وَأَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ، رَضِيتُ بِاللهِ رَبًّا وَبِمُحَمَّدٍ رَسُولًا، وَبِالْإِسْلَامِ دِينًا، غُفِرَ لَهُ ذَنْبُهُ».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 386]
المزيــد ...

સઅદ બિન અબી વકકાસ રઝી અલ્લાહુ અન્હુ વર્ણન કરે છે કે નબી ﷺ એ કહ્યું:
«જે વ્યક્તિ અઝાન કહેનારની અઝાન સાંભળી કહે "અશ્હદુ અલ્લા ઇલાહ ઇલ્લલ્લાહુ, વહદહુ લા શરીક લહુ, વ અન્ન મુહમ્મદન્ અબ્દુહુ વ રસૂલુહુ, રઝીતુ બિલ્લાહી રબ્બવ વબિલ્ ઇસ્લામિ દીના વબિ મુહમ્મદિન્ નબિય્યા" (હું ગવાહી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી, તે એકલો છે, તેનો કોઈ ભાગીદાર નથી, અને એ પણ સાક્ષી આપું છું કે મુહમ્મદ ﷺ અલ્લાહના બંદા અને તેના રસૂલ છે, હું રાજી છું અલ્લાહના પાલનહાર હોવાથી, અને ઇસ્લામના દીન હોવાથી, અને મુહમ્મદ ﷺના નબી હોવાથી, તો તેના ગુનાહ માફ કરી દેવામાં આવે છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 386]

સમજુતી

આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે જે વ્યક્તિ મુઅઝ્ઝિન અઝાન સાંભળી કહે: "અશ્હદુ અલ્લા ઇલાહ ઇલ્લલ્લાહુ, વહદહુ લા શરીક લહુ" (હું ગવાહી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી, તે એકલો છે, તેનો કોઈ ભાગીદાર નથી), અર્થાત્: તે તે વાતનો એકરાર કરે છે અને સ્વીકારે છે અને જણાવે છે કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી, અને તેના સિવાયના દરેક ઇલાહ ખોટા છે, "વ અન્ન મુહમ્મદન્ અબ્દુહુ વ રસૂલુહુ" (અને એ પણ સાક્ષી આપું છું કે મુહમ્મદ ﷺ અલ્લાહના બંદા અને તેના રસૂલ છે), અર્થાત્: નબી ﷺ અલ્લાહના એક બંદા છે, તેમની ઈબાદત કરવામાં નથી આવતી, અને તે એક પયગંબર છે, જે જૂઠ્ઠુ નથી બોલતા, "રઝીતુ બિલ્લાહી રબ્બન" (હું રાજી છું અલ્લાહના પાલનહાર હોવાથી) અર્થાત્: અલ્લાહની રુબૂબિય્યત (પાલનહાર હોવામાં), ઉલૂહિય્યત (ઇલાહ હોવામાં) અને અસ્મા વ સિફાત (પવિત્ર નામો અને ગુણોમાં). "વબિ મુહમ્મદિન્ નબિય્યા" (અને મુહમ્મદ ﷺ ના નબી હોવાથી) અર્થાત્: તે દરેક વસ્તુ સાથે જેની સાથે તેમને મોકલવામાં આવ્યા, અને જે તેમણે આપણાં સુધી પહોંચાડ્યું, "વ વબિલ્ ઇસ્લામિ" (અને ઇસ્લામથી) અર્થાત્: ઇસ્લામના દરેક આદેશોથી, "દીના" (દીન હોવા પર) અર્થાત્: અકીદો અને માન્યતાથી, "તેના ગુનાહ માફ કરી દેવામાં આવે છે" અર્થાત્: નાના ગુનાહો માંથી.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી થાય પૂશ્તો આસામી السويدية الأمهرية الهولندية Kirgisisch النيبالية Yoruba الدرية الصربية الصومالية Kinyarwanda الرومانية التشيكية Malagasy Oromo
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. અઝાન સાંભળી આ દુઆ પઢવી ગુનાહો માફ કરવાના સ્ત્રોતો માંથી છે.
વધુ