عَنْ أَبِي سَعِيدٍ الخُدْرِيِّ رضي الله عنه أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«إِذَا سَمِعْتُمُ النِّدَاءَ، فَقُولُوا مِثْلَ مَا يَقُولُ المُؤَذِّنُ».
[صحيح] - [متفق عليه]
المزيــد ...
અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું:
«જ્યારે તમે અઝાન સાંભળો, તો તમે પણ મુઅઝ્ઝિન (અઝાન આપનાર) જેમ કહે તેમ કહો».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ
આ હદીષમાં નબી ﷺએ લોકોને મુઅઝ્ઝિન જ્યારે અઝાન આપે તો તેનો જવાબ આપવા પર ઉભાર્યા છે અને એવી રીતે કે આપણે એવા જ શબ્દો કહીએ જેમ તેઓ કહે છે, એક પછી એક વાક્ય કહો, જ્યારે તે અલ્લાહુ અકબર કહે તો આપણે પણ અલ્લાહુ અકબર કહેવું જોઈએ અને જ્યારે તે શહાદતૈન (અલ્લાહ અને તેના રસૂલની ગવાહી) કહે તો પછી આપણે પણ કહેવું જોઈએ, (હય્ય અલસ્સલા, હય્ય અલલ્ ફલાહ) આ બન્ને શબ્દોને છોડીને; કારણકે આ બન્ને વાક્યો પછી: લા હવ્લ વ-લા કુવ્વત ઇલ્લા બિલ્લાહ કહેવું જોઇએ.