+ -

عَنْ عَبْدِ اللَّهِ بنِ مَسْعُودٍ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«لَيْسَ مِنَّا مَنْ لَطَمَ الخُدُودَ، وَشَقَّ الجُيُوبَ، وَدَعَا بِدَعْوَى الجَاهِلِيَّةِ».

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 1294]
المزيــد ...

અબ્દુલ્લાહ બિન મુગફ્ફલ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«તે વ્યક્તિ અમારા માંથી નથી, જે ગાલ પર મારે, કપડાં ફાડે અને અજ્ઞાનતાના સમય જેવી વાતો કરે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 1294]

સમજુતી

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અજ્ઞાનતાના કેટલાક અમલથી રોક્યા છે અને તેનાથી સંપૂર્ણ બચવાની તાકીદ કરી છે, કહ્યું:તે અમારા માંથી નથી:
પહેલું: જે ગાલ પર મારે, ચહેરા પર વધારે પડતો એરિયો ગાલનો છે, એટલે ગાલનું વર્ણન કરવામાં આવ્યું, નહીં તો ચહેરાનો પણ સમાવેશ થાય છે, ચહેરા પર પણ મારવાથી રોક્યા છે.
બીજું: કપડાંમાં કાણું કરી સખત રીતે તેમાંથી માથું કાઢવાની કોશિશ કરવી.
ત્રીજું: અજ્ઞાનતાના સમયની અવાજો, જેવા કે હાય, હલાકત, ચીખવું વગેરે.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી સ્વાહીલી પૂશ્તો આસામી الأمهرية الهولندية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. આ હદીષમાં જે અમલો વર્ણન કરવામાં આવ્યા છે, તે કબીરહ ગુનાહ માંથી છે.
  2. મુસીબત પર સબર કરવું જરૂરી છે, અલ્લાહની તકદીર પર નાખુશ થવું હરામ છે, અને જોર જોરથી રડવું, ચીસો પાડવી, ગાલ પર મારવું અને કપડાં ફાડવા વગેરે..
  3. એવી બાબતોમાં અજ્ઞાનતામાં ચાલતા અમલનું અનુસરણ કરવું હરામ છે, જેના પર શરીઅતે રોક લગાવી હોય.
  4. દુઃખ અને રડવામાં કોઈ વાંધો નથી, અને તે અલ્લાહના નિર્ણય પર સબર કરવાના વિરુદ્ધમાં નહીં ગણાય, જો કે આ તો એક રહમત છે, જે અલ્લાહ તઆલાએ સંબંધી પ્રત્યે લોકોના દિલોમાં રાખી છે.
  5. મુસલમાન માટે જરૂરી છે કે તે અલ્લાહની ખુશી પર ખુશ થાય અને તે ખુશ ન થાય તો તેના પર સબર કરવું જરૂરી છે.
વધુ