عَنْ عَائِشَةَ أُمِّ المؤْمنينَ رَضيَ اللهُ عنها قَالَتْ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فِي مَرَضِهِ الَّذِي لَمْ يَقُمْ مِنْهُ:
«لَعَنَ اللهُ الْيَهُودَ وَالنَّصَارَى، اتَّخَذُوا قُبُورَ أَنْبِيَائِهِمْ مَسَاجِدَ» قَالَتْ: فَلَوْلَا ذَاكَ أُبْرِزَ قَبْرُهُ، غَيْرَ أَنَّهُ خُشِيَ أَنْ يُتَّخَذَ مَسْجِدًا.
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 529]
المزيــد ...
ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે પોતાની અંતિમ સમયની બીમારી અર્થાત્ મરણ પથારી પર હતા, જેના પછી ક્યારેય ઊભા ન થયા, ત્યારે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«યહૂદી અને નસ્રાની લોકો પર અલ્લાહની લઅનત થાય, તે લોકોએ પયગંબરોની કબરોને મસ્જિદ (સિજદો કરવાની જગ્યા) બનાવી લીધી», આયશા રઝી અલ્લાહુ અન્હાએ કહ્યું: જો આ વાત ન કહી હોત તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની કબર પણ ખુલ્લી રાખવામાં આવતી, પરંતુ ભય એ વાતનો છે કે લોકો તેને પણ સિજદો કરવાની જગ્યા ન બનાવી લે.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 529]
મોમિનોની માતા આયશા રઝી અલ્લાહુ અન્હા જણાવી રહી છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મૃત્યુની નજીક સખત બીમારીની સ્થિતિમાં કહી રહ્યા હતા: યહૂદી અને નસ્રાનીઓ પર અલ્લાહની લઅનત થાય, અને તે લોકો અલ્લાહની રહમતથી દૂર થાય, કારણકે તે લોકોએ પયગંબરોની કબરોને સિજદો કરવાનું મથક બનાવી લીધું, તેમની કબરો પર ચળતર કરી અથવા તેમનાથી દુઆ કરી કરવામાં આવે છે. આયશા રઝી અલ્લાહુ અન્હાએ કહ્યું: આ આદેશ અને રોક ન હોત અર્થાત્ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની કબરને લોકો યહૂદી અને નસ્રાની લોકોની માફક ન કરતા તો તેમની કબર જાહેરમાં રાખતા.