عَنْ عُبَادَةَ بْنِ الصَّامِتِ رضي الله عنه أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«لَا صَلَاةَ لِمَنْ لَمْ يَقْرَأْ بِفَاتِحَةِ الكِتَابِ».

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 756]
المزيــد ...

ઉબાદહ બિન સામિત રઝી અલ્લાહું અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺએ કહ્યું:
«તે વ્યક્તિની નમાઝ નહીં ગણાય જેણે સૂરે ફાતિહા ન પઢી હોઈ».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 756]

સમજુતી

આ હદીષમાં નબી ﷺએ જણાવ્યું કે જે વ્યક્તિ નમાઝમાં સૂરે ફાતિહા નહિ પઢે તો તેની નમાઝ નહીં ગણાય, અને દરેક રકઅતમાં સૂરે ફાતિહા પઢવું અનિવાર્ય છે; કારણકે તે નમાઝનું એક રુકન (સ્થંભ) છે.

હદીષથી મળતા ફાયદા

  1. જો સૂરે ફાતિહા પઢી શકતા હોય તો તેના સિવાય અન્ય સુરત સૂરે ફાતિહાની જગ્યાએ પઢવી પૂરતી નથી.
  2. જે રકઅતમાં સૂરે ફાતિહા પઢવામાં ન આવે તો તે રકઅત અમાન્ય છે, પછી ભલે તે જાણી જોઈને, અજ્ઞાનપૂર્વક અથવા ભૂલના કારણે હોય; કારણ કે તે એક સ્તંભ છે, અને થાંભલો ક્યારેય પડતો નથી.
  3. જો મુકતદી (નમાઝ પઢનાર) વ્યક્તિ એવી સ્થિતિમાં આવે કે ઇમામને રુકૂઅમાં હોય તો સૂરે ફાતિહા પઢવી જરૂરી નથી.
ભાષાતર જુઓ
ભાષા: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ વધુ (54)