عَنْ عُبَادَةَ بْنِ الصَّامِتِ رضي الله عنه أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«لَا صَلَاةَ لِمَنْ لَمْ يَقْرَأْ بِفَاتِحَةِ الكِتَابِ».

[صحيح] - [متفق عليه]
المزيــد ...

ઉબાદહ બિન સામિત રઝી અલ્લાહું અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺએ કહ્યું:
«તે વ્યક્તિની નમાઝ નહીં ગણાય જેણે સૂરે ફાતિહા ન પઢી હોઈ».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ

સમજુતી

આ હદીષમાં નબી ﷺએ જણાવ્યું કે જે વ્યક્તિ નમાઝમાં સૂરે ફાતિહા નહિ પઢે તો તેની નમાઝ નહીં ગણાય, અને દરેક રકઅતમાં સૂરે ફાતિહા પઢવું અનિવાર્ય છે; કારણકે તે નમાઝનું એક રુકન (સ્થંભ) છે.

ભાષાતર: અંગ્રેજી ફ્રેન્ચ સ્પેનિશ તુર્કી ઉર્દુ ઇન્ડોનિષયન બોસ્નિયન રસિયન ચાઈનીઝ ફારસી ટગાલોગ હિન્દી વિયેતનામીસ સિન્હાલા ઉઇગુર કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ સ્વાહીલી પૂશ્તો આસામી السويدية الأمهرية الهولندية الدرية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. જો સૂરે ફાતિહા પઢી શકતા હોય તો તેના સિવાય અન્ય સુરત સૂરે ફાતિહાની જગ્યાએ પઢવી પૂરતી નથી.
  2. જે રકઅતમાં સૂરે ફાતિહા પઢવામાં ન આવે તો તે રકઅત અમાન્ય છે, પછી ભલે તે જાણી જોઈને, અજ્ઞાનપૂર્વક અથવા ભૂલના કારણે હોય; કારણ કે તે એક સ્તંભ છે, અને થાંભલો ક્યારેય પડતો નથી.
  3. જો મુકતદી (નમાઝ પઢનાર) વ્યક્તિ એવી સ્થિતિમાં આવે કે ઇમામને રુકૂઅમાં હોય તો સૂરે ફાતિહા પઢવી જરૂરી નથી.