+ -

عَنْ عَبْدِ الرَّحْمَنِ بْنِ سَمُرَةَ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«لَا تَحْلِفُوا بِالطَّوَاغِي، وَلَا بِآبَائِكُمْ».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 1648]
المزيــد ...

અબ્દુર્ રહમાન બિન સમુરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ કહ્યું:
«મૂર્તિઓ અને પોતાના પૂર્વજોની કસમો ન ખાઓ».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 1648]

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ તાગૂતની કસમ ખાવાથી રોક્યા છે, અને તાગૂત તે મૂર્તિઓને કહે છે, જેને કાફિરો અલ્લાહ સિવાય પૂજે છે અને તેમની ઈબાદત કરે છે, અને તે જ તેમનું ગુમરાહ થવાનું અને કુફ્રનું કારણ છે. અને એવી જ રીતે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ પોતાના બાપ દાદાઓની પણ કસમ ખાવાથી રોક્યા છે, અને તે અજ્ઞાનતાના સમયે અરબના લોકોની આદત હતી, અને તેઓ ગર્વ અને મહાનતા વર્ણન કરી પોતાના પૂર્વજોની કસમ ખાતા હતા.

હદીષથી મળતા ફાયદા

  1. અલ્લાહ, તેના નામો અને ગુણો સિવાય અન્યની કસમ ખાવી જાઈઝ (યોગ્ય) નથી.
  2. તાગૂત (મૂર્તિઓ) અને બાપ દાદાઓ અને અન્ય સરદારો તથા તેમના જેવા લોકોની કસમ ખાવી હરામ અને બાતેલ (અમાન્ય) છે.
  3. અલ્લાહ સિવાય અન્યની કસમ ખાવી, તે શિર્કે અસગર (નાનું શિર્ક) છે, અને તે ક્યારેક શિર્કે અકબર (મોટું શિર્ક) પણ બની શકે છે, જ્યારે કસમ ખાવા વાળો વ્યક્તિ પોતાના દિલમાં તેમની એવી મહાનતા સાથે કસમ ખાઈ, જેવી મહાનતા ફક્ત અલ્લાહ માટે જ છે, અને તે એવો અકીદો રાખી તેમની કસમ ખાઈ કે તેઓ પણ અલ્લાહ સાથે ઈબાદતમાં ભાગીદાર છે ત્યારે તે શિર્કે અકબર બની જાય છે.
ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી થાય પૂશ્તો આસામી السويدية الأمهرية الهولندية Kirgisisch النيبالية الصربية الرومانية المجرية الموري Malagasy الجورجية
ભાષાતર જુઓ
વધુ