عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«لَا تَصْحَبُ الْمَلَائِكَةُ رُفْقَةً فِيهَا كَلْبٌ وَلَا جَرَسٌ».
[صحيح] - [رواه مسلم]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું:
«તે જૂથ સાથે ફરિશ્તાઓ નથી હોતા, જેમાં કૂતરું અને ઘંટડી હોય».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે ફરિશ્તાઓ તે લોકોના કાફલા સાથે સફર નથી કરતા, જેમની સાથે કુતરુ હોય, અથવા ઘંટડી હોય, જે જાનવરોના ગળામાં લટલાવવામાં આવી હોય, જ્યારે તેઓ ચાલે તો તે ઘંટડી અવાજ કરે.