عَنْ أَبِي هُرَيْرَةَ عَبْدِ الرَّحْمَنِ بْنِ صَخْرٍ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ: سَمِعْت رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّم يَقُولُ:
«مَا نَهَيْتُكُمْ عَنْهُ فَاجْتَنِبُوهُ، وَمَا أَمَرْتُكُمْ بِهِ فَافْعَلُوا مِنْهُ مَا اسْتَطَعْتُمْ، فَإِنَّمَا أَهْلَكَ الَّذِينَ مِنْ قَبْلِكُمْ كَثْرَةُ مَسَائِلِهِمْ، وَاخْتِلَافُهُمْ عَلَى أَنْبِيَائِهِمْ».
[صحيح] - [رواه البخاري ومسلم] - [الأربعون النووية: 9]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અબ્દુર્ રહમાન બિન્ સખ્ર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા:
«હું તમને જે વસ્તુથી રોકું, તેનાથી રુકી જાઓ અને જેના પર અમલ કરવાનો આદેશ આપું તેને પોતાની શક્તિ પ્રમાણે કરો, એટલા માટે કે તમારા કરતા પહેલાના લોકોને વધુ પડતા વ્યર્થ સવાલ અને પોતાના નબીઓ સાથે વિવાદ કરવાના કારણે નષ્ટ કરી દેવામાં આવ્યા».
-
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આપણને જણાવ્યું કે જ્યારે હું કોઈ વસ્તુથી તમને રોકુ, તો જરૂરી છે કે કંઈ પણ શંકા કર્યા વગર તેનાથી બચો અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આપણને કોઈ અમલ કરવાનો આદેશ આપ્યો હોય તેને શક્ય હોય એટલે અંશ સુધી કરવાનો પ્રયત્ન કરવો. પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આપણને જણાવ્યું કે આપણે પાછળ પસાર થયેલી કોમો જેવા કાર્યો ન કરીએ, જેમણે પોતાના પયગંબરોને ઘણા સવાલો કર્યા અને તેમની સાથે વિવાદ કર્યા, જેના કારણે અલ્લાહ તઆલાએ તેમને અલગ અલગ પ્રકારના અઝાબમાં નાખી તેમને નષ્ટ કરી દીધા, એટલા માટે આપણે તેમના જેવું ન થવું જોઈએ, જેથી આપણે નષ્ટ ન થઈ જઈએ.