عَنْ أَبِي العَبَّاسِ سَهْلِ بْنِ سَعِدٍ السَّاعِدِيِّ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ: جَاءَ رَجُلٌ إِلَى النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ: يَا رَسُولَ اللَّهِ، دُلَّنِي عَلَى عَمَلٍ إِذَا عَمِلْتُهُ أَحَبَّنِي اللَّهُ وَأَحَبَّنِي النَّاسُ، فَقَالَ:
«ازْهَدْ فِي الدُّنْيَا يُحِبُّكَ اللَّهُ، وَازْهَدْ فِيمَا عِنْدَ النَّاسِ يُحِبُّكَ النَّاسُ».
[قال النووي: حديث حسن] - [رواه ابن ماجه وغيره بأسانيد حسنة] - [الأربعون النووية: 31]
المزيــد ...
અબૂ અબ્બાસ સહલ બિન્ સઅદ સાઇદી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: એક વ્યક્તિ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યો, અને કહ્યું: હે અલ્લાહના પયગંબર! મને કોઈ એવો અમલ બતાવો કે જેને હું કરી લઉં, તો અલ્લાહ મારાથી મોહબ્બત કરે, અને લોકો પણ મારાથી મોહબ્બત કરે, તો અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«દુનિયાનો મોહ છોડી દો, અલ્લાહ તમારાથી મોહબ્બત કરશે, અને લોકો પાસે જે કંઈ છે તેના લોભ્યો ન બનો, તો લોકો તમારાથી મોહબ્બત કરશે».
-
એક વ્યક્તિએ અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને પૂછ્યું કે તમે તેને એક એવો અમલ જણાવી દો કે જો તે તેને કરવા લાગે તો તેને અલ્લાહની મોહબ્બત મળી જાય અને લોકોની પણ મોહબ્બત મળી જાય, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: અલ્લાહની મોહબ્બત મેળવવા માટે દુનિયામાં વ્યર્થ કામોને છોડી દો જે આખિરતમાં કંઈ ફાયદો ન પહોંચાડે અને દીનનું પણ નુકસાન કરે, જ્યારે કે લોકોની મોહબ્બત ત્યારે મળશે જ્યારે તમે તેમની પાસે જે કંઈ છે તેનાથી અળગા થઈ જાવ, અર્થાત લોભ ન કરો, લાલચ ન કરો, કારણકે પોતાની પાસે દુનિયાની મોહબ્બત પહેલાથી જ હોય છે, માટે તેના તરફ ધ્યાન આપવાથી દ્વેષ કરશે અને છોડી દેવાથી તેની મોહબ્બત મળશે.