+ -

عَنْ صُهَيْبٍ رضي الله عنه عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«إِذَا دَخَلَ أَهْلُ الْجَنَّةِ الْجَنَّةَ، قَالَ: يَقُولُ اللهُ تَبَارَكَ وَتَعَالَى: تُرِيدُونَ شَيْئًا أَزِيدُكُمْ؟ فَيَقُولُونَ: أَلَمْ تُبَيِّضْ وُجُوهَنَا؟ أَلَمْ تُدْخِلْنَا الْجَنَّةَ، وَتُنَجِّنَا مِنَ النَّارِ؟ قَالَ: فَيَكْشِفُ الْحِجَابَ، فَمَا أُعْطُوا شَيْئًا أَحَبَّ إِلَيْهِمْ مِنَ النَّظَرِ إِلَى رَبِّهِمْ عَزَّ وَجَلَّ».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 181]
المزيــد ...

સુહૈબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«જ્યારે જન્નતી લોકો જન્નતમાં જતા રહેશે, તો કહ્યું:અલ્લાહ તઆલા તેમને કહેશે: હજુ કઈ વધારે ઈચ્છા કરી? જન્નતી લોકો કહેશે: શું તમે અમારા ચહેરા પ્રકાશિત નથી કર્યા? તે અમને જન્નતમાં દાખલ નથી કર્યા? અને જહન્નમથી છુટકારો ન આપ્યો? અલ્લાહ તઆલા પડદો ઉઠાવશે, તો તેમને કોઈ એવી વસ્તુ આપવામાં આવી નથી હોય, જે તેમને તેમના પાલનહારના દીદાર કરતા વધુ પ્રિય હોય».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 181]

સમજુતી

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે જ્યારે જન્નતી લોકો જન્નતમાં પ્રવેશશે, તો અલ્લાહ તઆલા તેમને કહેશે:
શું તમારી વધુ ઈચ્છા ખરી? જે હું તમને આપું?
દરેક જન્નતી લોકો કહેશે: તે અમારા ચહેરાઓને પ્રકાશિત ન કર્યા? તે અમને જન્નતમાં પ્રવેશ ન આપ્યો, અને જહન્નમથી છુટકારો ન આપ્યો?
અલ્લાહ તઆલા પડદો ઉઠાવશે અને બુલંદ થશે; અને તે પરદો સંપૂર્ણ પ્રકાશિત હશે, તો એમને કોઈ એવી વસ્તુ આપવામાં નથી આવી, જે તેમને તેમના પાલનહારના દીદાર કરતા વધુ પ્રિય હોય.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી સ્વાહીલી આસામી الهولندية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. જન્નતી લોકો માટે અલ્લાહ પરદો હટાવશે, જેથી કરીને તેઓ અલ્લાહનો દીદાર કરી શકે અને કાફિરો આ ભવ્ય નેઅમતથી વચિંત રહેશે.
  2. જન્નતની સૌથી મોટી નેઅમત મોમિનો માટે પોતાના પાલનહારનો દીદાર હશે.
  3. જન્નતી લોકોના દરજ્જા અલગ અલગ હોવા છતાંય પરંતુ તેઓ પોતાના પાલનહારને જોશે.
  4. મોમિનો માટે અલ્લાહ તઆલાની ભવ્ય કૃપા, જે તે જન્નતમાં પ્રવેશ આપશે.
  5. નેક અમલ વધુમાં વધુ કરી જન્નતમાં પ્રવેશવા બાબતે ઉત્સુકતા અને તે અલ્લાહ અને તેના રસૂલનું અનુસરણ કરીને શક્ય છે.
વધુ