عَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اللَّهُ عَنْهُمَا عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«أَلْحِقُوا الفَرَائِضَ بِأَهْلِهَا، فَمَا بَقِيَ فَلِأَوْلَى رَجُلٍ ذَكَرٍ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 6737]
المزيــد ...
ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેમણે કહ્યું કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«વારસદારના નક્કી કરેલા ભાગ તેમને આપો, ફરી જે કંઈ બાકી રહે, તે મૃતકના સૌથી નજીકના સંબંધી પુરુષ (વારસદાર) માટે છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 6737]
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ વારસાનો માલ વિભાજીત કરનારને આદેશ આપી રહ્યા છે કે તે વારસાનો માલ ન્યાયપુર્વક, શરીઅત પ્રમાણે વિભાજીત કરે, જેથી તે ભાગીદારો જેમના ભાગ અલ્લાહની કિતાબ (કુરઆન)માં નક્કી કરવામાં આવ્યા છે, તેમને તેમના ભાગ આપવામાં આવે, તે ભાગ નીચે મુજબ છે: બે તૃતીયાંશ, એક તૃતીયાંશ, છઠ્ઠો ભાગ, અડધો ભાગ, ચોથો અને આઠમો ભાગ, ત્યાર પછી જે કંઈ બચે તેને નજીકના પુરુષ સંબંધીઓને આપવામાં આવશે, જેમને અસ્બા (જેમનો કોઈ ભાગ કુરઆન અને હદીષમાં વર્ણન કરવામાં આવ્યો ન હોય) કહે છે.