+ -

عَنْ عُقْبَةَ بْنِ عَامِرٍ رضي الله عنه أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«إِيَّاكُمْ وَالدُّخُولَ عَلَى النِّسَاءِ» فَقَالَ رَجُلٌ مِنَ الأَنْصَارِ: يَا رَسُولَ اللَّهِ، أَفَرَأَيْتَ الحَمْوَ؟ قَالَ: «الحَمْوُ المَوْتُ».

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 5232]
المزيــد ...

ઉકબા બિન આમિર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«સ્ત્રીઓની નજીક જવાથી બચો», એક અન્સારી સહાબીએ સવાલ કર્યો: હે અલ્લાહના રસૂલ ! દેવર વિશે શું હુકમ છે? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «દેવર તો મોત છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 5232]

સમજુતી

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અજાણી સ્ત્રીઓથી દૂર રહેવાનો આદેશ આપ્યો છે અને કહ્યું: તમે અજાણી સ્ત્રીઓથી બચો કે તમે તેમની પાસે જાઓ, અને સ્ત્રીઓ પણ અજાણ પુરુષ પાસે દાખલ થવાથી બચે.
અન્સારી સહાબી માંથી એક સહાબીએ સવાલ કર્યો: પતિના સગા સંબંધીઓ વિશે શું આદેશ આપો છો; પતિનો ભાઈ તેના છોકરાઓ, કાકા અને તેના છોકરો, ભાણિયા, અને અન્ય તે લોકો જેની સાથે તે લગ્ન કરી શકતી હોય?
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: એવી રીતે બચો જેવી રીતે તમે મૌતથી બચો છો! કારણકે દેવર સાથે એકાંતમાં રહેવું, ફિતનાનું કારણ અને દીનમાં નષ્ટતાનું કારણ છે, સસરા અને પોતાના દીકરાઓ સિવાય નજીકના સંબંધીઓથી અજાણ પુરુષ કરતા પણ વધારે સચેત રહેવું જોઈએ; કારણકે પતિના સંબંધીઓ સાથે એકાંતમાં મળવું અન્ય લોકો કરતા વધુ સરળ હોય છે, અને બુરાઈ અને ગુનોહ થવાની પુરી સંભાવના હોય છે, જેથી ફિતનામાં પડી શકે છે; કારણકે તેમની વચ્ચે રોકટોક વગર એકાંતનો માહોલ હોય છે, અને તે જરૂરી છે, અને તેને રોકવું શક્ય નથી, કારણ કે તેમાં નરમ રહેવાનો રિવાજ છે, તેથી તે માણસ તેના ભાઈની પત્ની સાથે એકલો છે; તે કુરૂપતા અને ભ્રષ્ટાચારના સંદર્ભમાં મૃત્યુની માફક છે, એક અજાણ પુરુષ વિરુદ્ધ ચેતવણી આપવામાં આવી છે કે તેનથી સચેત રહેવામાં આવે.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી સ્વાહીલી પૂશ્તો આસામી الهولندية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. અજાણી સ્ત્રી સાથે ભેગા રહેવું, તેમજ એકાંતમાં રહેવાથી રોક્યા છે, જે અશ્લીલતાના દરેક માર્ગો પર પતિબંધ લગાવે છે.
  2. સામાન્ય રીતે અજાણી વ્યક્તિમાં પતિના ભાઈ અને તેના સંબંધીઓ પણ શામેલ છે, જેઓ સ્ત્રી સાથે લગ્ન કરી શકતા હોય, તે દરેક લોકો, અને એવી દરેક જગ્યા જે એકાંત તરફ લઈ જતી હોય.
  3. ગુનાહ તરફ લઈ જતા સામાન્ય માર્ગથી પણ સચેત રહેવું જોઈએ.
  4. ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: ભાષાકીય આલિમો સૌ એકમત છે કે "અલ્ અહમાઅ" શબ્દમાં પતિના સગા સંબંધીઓ, જેમકે: તેના પિતા, તેના કાકા, તેનો ભાઈ, તેનો ભત્રીજો, તેનો ભાણિયો વગેરે, "અલ્ ઉખતાન" શબ્દમાં પત્નીના સબંધીઓ, અને બન્ને સાસરી પક્ષ મુરાદ છે.
  5. (દેવર)ને મૃત્યુ વડે સરખામણી કરી, ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: અરબના લોકો મૃત્યુ સાથે સરખામણી કરવાને નાપસંદ કરતા હતા, સરખામણી કરવાનું કારણ એ કે જો આ ગુનોહ થઈ જશે, તો દીન સંપૂર્ણ રીતે બરબાદ થઈ જશે, મૃત્યુ એટલા માટે પણ જો આ ગુનોહ થઈ જાય, તો પછી તેને રજમ કરવું અર્થાત્ પથ્થર મારી નષ્ટ કરવું જરૂરી થઈ જશે, જો આ ગુનોહ થશે તો પત્નીની તલાક થઈ જશે.
વધુ