عَنْ عَبْدِ اللَّهِ بْنِ عَمْرٍو رَضِيَ اللَّهُ عَنْهُمَا:
أَنَّ رَجُلًا سَأَلَ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: أَيُّ الإِسْلاَمِ خَيْرٌ؟ قَالَ: «تُطْعِمُ الطَّعَامَ، وَتَقْرَأُ السَّلاَمَ عَلَى مَنْ عَرَفْتَ وَمَنْ لَمْ تَعْرِفْ».

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 12]
المزيــد ...

અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે:
એક વ્યક્તિએ નબી ﷺ ને સવાલ કર્યો કે કયો ઇસ્લામ સૌથી શ્રેષ્ઠ છે? તો નબી ﷺ એ કહ્યું: «તમે ખાવાનું ખવડાવો અને જેને તમે જાણતા હોય તેને પણ અથવા જેને ન જાણતા ન હોય તેને પણ સલામ કરો».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 12]

સમજુતી

આ હદીષમાં નબી ﷺ ને સવાલ કરવામાં આવ્યો કે કયો ગુણ ઇસ્લામમાં સૌથી શ્રેષ્ઠ છે? તો નબી ﷺ એ બે ગુણ જણાવ્યા:
પહેલો: ગરીબોને વારંવાર ખવડાવવું, અને તેમાં સદકા, ભેટ, મહેમાનગતિ, વલીમો (ભોજન) વગેરેનો સમાવેશ થાય છે, અને ખાસ કરીને દુકાળ તેમજ મોંઘવારીના સમયે ખાવાનું ખવડાવવા પર વધુ મહત્વ આપ્યું છે.
બીજું: દરેક મુસલમાનને સલામ કરવું, ભલેને તમે તેને જાણતા હોવ કે ન જાણતા હોવ.

હદીષથી મળતા ફાયદા

  1. દુનિયા અને આખિરતમાં ફાયદો પહોંચાડતી બાબતો જાણવા પ્રત્યે આ હદીષમાં સહાબાઓનો ઉત્સાહ જોવા મળે છે.
  2. સલામ કરવું અને લોકોને ખવડાવવું ઇસ્લામના મહત્વપૂર્ણ કાર્યો માંથી છે; તેની મહત્ત્વતા એટલા માટે કે દરેક સમયે તેની જરૂર લોકોને પડે છે.
  3. આ બંને ગુણોમાં વાત અને કાર્ય વડે સારો વ્યવહાર કરવાનો સમાવેશ થાય છે, જે સંપૂર્ણ એહસાન (સદ્ વ્યવહાર) છે.
  4. આ બન્ને ગુણો મુસલમાનોના અંદરો અંદર વ્યવહારને દર્શાવે છે, અને તે સિવાય આ પ્રમાણેના ગુણો બંદાના પોતાના પાલનહાર સાથેનો વ્યવહાર પણ દર્શાવે છે.
  5. સલામની શરૂઆત ફક્ત મુસલમાનો વચ્ચે જ કરવામાં આવશે, કોઈ પણ કાફિરને પહેલા સલામ કહેવામાં નહીં આવે.
ભાષાતર જુઓ
ભાષા: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ વધુ (55)
વધુ