+ -

عَنْ مَعْقِلِ بْنِ يَسَارٍ رضي الله عنه أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«الْعِبَادَةُ فِي الْهَرْجِ كَهِجْرَةٍ إِلَيَّ».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2948]
المزيــد ...

મઅકિલ બિન યસાર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે આપ ﷺએ કહ્યું:
«ફિતનાના સમયે ઈબાદત કરવી એવું જ છે, જેવું કે મારા તરફ હિજરત કરવી».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 2948]

સમજુતી

આપ ﷺએ પરાજકતા, હત્યા અને અશાંતિના સમયમાં ઈબાદત અને તેનું પાલન કરવા માટે માર્ગદર્શન આપ્યું છે, તેમણે સ્પષ્ટ કર્યું કે આવા સમયમાં કરવામાં આવતી ઈબાદતનો બદલો આપ ﷺ તરફ હિજરત જેવું છે; કારણ કે લોકો ઘણીવાર ઈબાદત કરવામાં બેદરકાર હોય છે અને તેનાથી વિચલિત થાય છે અને માત્ર થોડા જ લોકો તેના માટે પોતાને સમર્પિત કરે છે.

હદીષથી મળતા ફાયદા

  1. ઈબાદત કરવા પ્રોત્સાહન આપ્યું છે, અને ફિતનાના સમયે અલ્લાહ તરફ ઝૂકી જવું જોઈએ, જેથી ફિતનાથી બચી શકાય તેમજ ભ્રષ્ટાચારથી દૂર રહી શકાય.
  2. આ હદીષમાં ફિતના અને ગફલતના સમયે ઈબાદત કરવાની મહત્ત્વતા વર્ણન કરી છે.
  3. એક મુસલમાને ફિતના અને ગફલતની જગ્યાઓથી બચવું જોઈએ.
ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ સ્વાહીલી તામિલ થાય આસામી الأمهرية الهولندية الرومانية
ભાષાતર જુઓ
વધુ