عَن أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«إِذَا تَثَاءَبَ أَحَدُكُمْ فَلْيُمْسِكْ بِيَدِهِ عَلَى فِيهِ، فَإِنَّ الشَّيْطَانَ يَدْخُلُ».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2995]
المزيــد ...

અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર ﷺએ કહ્યું:
«તમારા માંથી જ્યારે કોઈને બગાસુ આવે તો તે પોતાના હાથ મોઢા પર મૂકી તેને રોકે, નિઃશંક શૈતાન મોઢામાં દાખલ થાય છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 2995]

સમજુતી

આ હદીષમાં નબી ﷺએ આળસ અને પેટ ભરીને ખાવાવાળા અથવા અન્ય કારણસર બગાસુ ખાતી વખતે મોઢું ખોલવાવાળાને આદેશ આપ્યો; કે તે પોતાનો હાથ મોઢા પર મૂકી તેને કરે; કારણકે શૈતાન તેમાં દાખલ થઈ જાય છે, જો તેને ખુલ્લું છોડી દેવામાં આવે, હાથ મુકવાથી તે દાખલ નહીં થઈ શકે.

હદીષથી મળતા ફાયદા

  1. જ્યારે કોઈ વ્યક્તિને બગાસુ આવે તો તેણે પોતાની શક્તિ પ્રમાણે તેણે મોઢાને દબાવવું જોઈએ, તેને ખુલવા ન દે, તેને બંધ રાખવું જોઈએ, જો તે રોકી ન શકતો હોય તો તેણે હાથ પોતાના મોઢા પર રાખવો જોઈએ, અને મોઢાને હાથ વડે ઝોરથી દબાવવું જોઈએ.
  2. દરેક સ્થિતિમાં ઇસ્લામી આદાબનો ખ્યાલ રાખવો જરૂરી છે; કારણકે તે અખ્લાક અને સપૂર્ણતાની દલીલ છે.
  3. આ હદીષમાં માનવીની અંદર શૈતાનના દાખલ થવાના દરેક દ્વારથી સચેત કરવામાં આવ્યા છે.
ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન બંગાલી તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી થાય પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية النيبالية الدرية الصربية الرومانية المجرية الموري Malagasy Kanadische Übersetzung الولوف الأوكرانية الجورجية المقدونية الخميرية البنجابية الماراثية
ભાષાતર જુઓ
વધુ