કેટેગરીઓ:
+ -

عَنْ أَبِي مُـحَمَّدٍ الحَسَنِ بْنِ عَلِيِّ بْنِ أَبِي طَالِبٍ - سِبْطِ رَسُولِ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وَرَيْحَانَتِهِ-، قَالَ: حَفِظْتُ مِنْ رَسُولِ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ:
«دَعْ مَا يَرِيبُك إلَى مَا لَا يَرِيبُكَ».

[صحيح] - [رواه الترمذي والنسائي] - [الأربعون النووية: 11]
المزيــد ...

અબૂ મુહમ્મદ હસન બિન્ અલી બિન્ અબૂ તાલિબ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના નવાસા અને વ્હાલા વર્ણન કરે છે, તેમણે કહ્યું: મેં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા આ વાત યાદ કરી છે:
«જે વસ્તુમાં તમને શંકા હોય, તેને છોડી દો અને તે વસ્તુ પર અમલ કરો જેના પર તમને શંકા ન હોય».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [رواه الترمذي والنسائي] - [الأربعون النووية - 11]

સમજુતી

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એવા કાર્યો અને વાતોથી દૂર રહેવાનો આદેશ આપ્યો, જેના વિષે શંકા ઊભી થાય કે તેનાથી રોકવામાં આવ્યો છે કે નહીં? શું તે હલાલ છે કે હરામ, માનવીએ એવા કાર્યો કરવા જોઈએ જેના સારા અને હલાલ હોવા પર યકીન હોય; કારણકે તેનાથી માનવીનું દિલ સંતુષ્ટ રહે છે, જ્યારે કે શંકાસ્પદ બાબતો માનવીના દિલને બેચેન અને વિચલિત કરી દે છે.

હદીષથી મળતા ફાયદા

  1. મુસલમાનો માટે જરૂરી છે કે તેઓ પોતાના દરેક કાર્યોનો આધાર યકીન પર રાખવો જોઈએ તેમજ શંકાસ્પદ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ,
  2. અને હિકમત તેમજ જ્ઞાન સાથે દીનના આદેશો પર અમલ કરવો જોઈએ.
  3. શંકાસ્પદ કાર્યો પર રોક લગાવી છે.
  4. જો તમે શાંતિ ઇચ્છતા હોવ તો શંકાસ્પદ કાર્યો છોડી દો અને તેનાથી દૂર રહો.
ભાષાતર: અંગ્રેજી ઉર્દુ ઇન્ડોનિષયન બંગાલી તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ થાય જર્મન પૂશ્તો આસામી અલ્બાનીયન الأمهرية Kirgisisch النيبالية الليتوانية الدرية الصربية الطاجيكية Kinyarwanda المجرية التشيكية الموري Kanadische Übersetzung الولوف Aserbaidschanisch الأوزبكية الأوكرانية الجورجية المقدونية الخميرية
ભાષાતર જુઓ
કેટેગરીઓ
વધુ