عَنِ ‌ابْنِ عَبَّاسٍ رَضِيَ اللهُ عَنْهُمَا قَالَ:
أُنْزِلَ عَلَى رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ وَهُوَ ابْنُ أَرْبَعِينَ، فَمَكَثَ بِمَكَّةَ ثَلَاثَ عَشْرَةَ سَنَةً، ثُمَّ أُمِرَ بِالْهِجْرَةِ، فَهَاجَرَ إِلَى الْمَدِينَةِ، فَمَكَثَ بِهَا عَشْرَ سِنِينَ، ثُمَّ تُوُفِّيَ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ.

[صحيح] - [متفق عليه]
المزيــد ...

અબ્દુલ્લાહ બિન અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે:
આપ ﷺ પર વહી ઉતરી જ્યારે આપ ﷺ ચાળીસ વર્ષના હતા, આપ ﷺ મક્કહમાં તેર વર્ષ સુધી રહ્યા, પછી અલ્લાહ તઆલા એ આપ ﷺ ને હિજરત કરવાનો આદેશ આપ્યો, આપ ﷺ એ મદીના તરફ હિજરત કરી, ત્યાં આપ ﷺ દસ વર્ષ સુધી રહ્યા, પછી આપ ﷺ નું મૃત્યુ થયું.

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ

સમજુતી

ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા જણાવી રહ્યા છે, કે આપ ﷺ પર વહી ઉતરી અને આપ ﷺ ને પયગંબરી આપવામાં આવી ત્યારે આપ ﷺ ની ઉંમર ચાળીસ વર્ષની હતી, વહી આવ્યા પછી તેર વર્ષ સુધી આપ ﷺ મક્કહમાં રહ્યા, પછી અલ્લાહ તઆલા એ આપને હિજરત કરવાનો આદેશ આપ્યો, ત્યાં આપ ﷺ દસ વર્ષ સુધી રહ્યા, અને ત્યારબાદ આપ ﷺ નું મૃત્યુ થયું, જે સમયે આપની ઉંમર ત્રેસઠ વર્ષની હતી.

ભાષાતર: અંગ્રેજી ફ્રેન્ચ સ્પેનિશ તુર્કી ઉર્દુ ઇન્ડોનિષયન બોસ્નિયન બંગાલી ચાઈનીઝ ફારસી હિન્દી વિયેતનામીસ સિન્હાલા ઉઇગુર કુરદી હૌસા મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية الدرية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. સહાબા આપ ﷺ ની સીરતનું સંપૂર્ણ ધ્યાન આપતા હતા.
વધુ