عَنِ ‌ابْنِ عَبَّاسٍ رَضِيَ اللهُ عَنْهُمَا قَالَ:
كَانَ النَّبِيُّ صَلَّى اللهُ عَليهِ وَسَلَّمَ لا يَعْرِفُ فَصْلَ السُّورةِ حَتَّى تَنْزِلَ عَليْهِ {بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ}.

[صحيح] - [رواه أبو داود]
المزيــد ...

ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે:
આપ ﷺ કુરઆન મજીદમાં સુરતનો અંત નક્કી નહતા કરી શકતા જ્યાં સુધી {બિસ્મિલ્લાહિર્ રહમાનીર્ રહીમ} ન ઉતરી જાય.

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે

સમજુતી

ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા જણાવી રહ્યા છે કે કુરઆન મજીદની સૂરતો આપ ﷺ પર ઉતરતી હતી, પરંતુ આપ ﷺ તેની શરૂઆત અને તેનો અંત નક્કી નહતા કરી શકતા, અહીં સુધી કે "બિસ્મિલ્લાહિર્ રહમાનિર્ રહીમ" ઉતરી ન જાય, જ્યારે બિસ્મિલ્લાહિર્... ઉતરતું તો આપ ﷺ ને ખ્યાલ આવી જતો કે હા, હવે પાછળની સૂરત પૂર્ણ થઈ છે, અને હવે નવી સુરતની શરૂઆત થશે.

ભાષાતર: અંગ્રેજી ફ્રેન્ચ સ્પેનિશ તુર્કી ઉર્દુ ઇન્ડોનિષયન બોસ્નિયન બંગાલી ચાઈનીઝ ફારસી હિન્દી વિયેતનામીસ સિન્હાલા ઉઇગુર કુરદી હૌસા મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية الدرية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. બિસ્મિલ્લાહ બે સૂરતોને અલગ કરવા માટે છે, અર્થાત્ શરૂ અને અંત નક્કી કરવા માટે, હા સૂરે અનફાલ અને સૂરે તૌબાને છોડીને.
વધુ