+ -

عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«اثْنَتَانِ فِي النَّاسِ هُمَا بِهِمْ كُفْرٌ: الطَّعْنُ فِي النَّسَبِ، وَالنِّيَاحَةُ عَلَى الْمَيِّتِ».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 67]
المزيــد ...

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ કહ્યું:
«બે વસ્તુ લોકોમાં એવી છે, જે કુફ્રનું કારણ બને છે: નસબ (ખાનદાન) બાબતે મહેણાંટોણો મારવા અને મૃતક પર નવહા (વિલાપ) કરવો».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 67]

સમજુતી

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે લોકોમાં બે આદતો એવી છે, જે કાફિરોના અમલ માફક છે અને અજ્ઞાનતાના સમયની આદતો માંથી છે, તે બન્ને માંથી:
પહેલી : લોકોને ખાનદાન બાબતે મહેણાંટોણા મારવા, ખામીઓ શોધવી અને ઘમંડ કરવું.
બીજી: મુસીબતના સમયે તકદીર પર નારાજ થઈ રાડો પાડવી, અથવા ભયના કારણે કપડાં ફાડવા.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી સ્વાહીલી આસામી الهولندية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. આજીજી અપનાવવા અને લોકો સામે ઘમંડ ન કરવું જોઇએ.
  2. મુસીબત પર સબર કરવી જોઈએ અને નારાજ થવાથી બચવું જોઈએ.
  3. આ અમલ કુફ્રે અસગર છે, અને આ વર્ણન કરેલ કુફ્ર કરવાથી ત્યાં સુધી ઇસ્લામ માંથી નથી નીકળતા જ્યાં સુધી તે કુફ્રે અકબર ન કરી લે.
  4. ઇસ્લામ તે દરેક વસ્તુથી રોકે છે, જેના કારણે મુસલમાનોની વચ્ચે વિવાદ થઈ શકે છે, જેવું કે લોકોના ખાનદાન વિશે મહેણાંટોણા મારવા, વગેરે.
વધુ