عَنْ أَبِي ذَرٍّ، جُنْدُبِ بْنِ جُنَادَةَ، وَأَبِي عَبْدِ الرَّحْمَنِ، مُعَاذِ بْنِ جَبَلٍ رَضِيَ اللَّهُ عَنْهُمَا عَنْ رَسُولِ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«اتَّقِ اللَّهَ حَيْثُمَا كُنْت، وَأَتْبِعْ السَّيِّئَةَ الْحَسَنَةَ تَمْحُهَا، وَخَالِقْ النَّاسَ بِخُلُقٍ حَسَنٍ».
[قال الترمذي: حديث حسن] - [رواه الترمذي] - [الأربعون النووية: 18]
المزيــد ...
અબૂ ઝર જુન્દુબ બિન્ જુનાદહ અને અબૂ અબ્દુર રહમાન મુઆઝ બિન્ જબલ રઝી અલ્લાહુ અન્હુમા વર્ણન કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«તમે જ્યાં પણ રહો, અલ્લાહથી ડરતા રહો, પાપ કાર્ય પછી નેકી કરી લો, જે તે પાપને ખત્મ કરી દેશે, અને લોકો સાથે સારો વ્યવહાર કરો».
[قال الترمذي: حديث حسن] - [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે] - [الأربعون النووية - 18]
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ત્રણ કાર્યોનો આદેશ આપ્યો: પહેલું: અલ્લાહથી ડરવું, અલ્લાહથી ડરવાનો અર્થ એ છે કે અનિવાર્ય કરેક કાર્યો કરવા અને અવૈધ કરેલ કાર્યોથી બચવું, દરેક જગ્યા, દરેક સમયે અને દરેક સ્થિતિમાં, એકાંતમાં અને જાહેરમાં, તંદુરસ્તી અને બીમીરી દરેક સ્થિતિમાં. બીજું: જો તમારાથી કોઈ ગુનાહનું કામ થઇ જાય, તો તેના પછી કોઈ નેકી કરવી જેમકે નમાઝ, સદકા, નેકી, સંબંધ જોડવા, તૌબા કરવી વગેરે; કારણકે તેનાથી ગુનાહ ખત્મ થઇ જશે. ત્રીજું: લોકો સાથે સારો વ્યવહાર કરવો, જેમકે તેમની સાથે હસતા મોઢે મુલાકાત કરવી, નરમી, વિનમ્રતા અપનાવવી, સારા કાર્યો કરવા અને તેમને નુકસાન પહોંચાડવાથી બચવું.