+ -

عَنْ أَبٍي سَعِيدٍ الخُدْرِيَّ رَضِيَ اللَّهُ عَنْهُ:
أَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ جَلَسَ ذَاتَ يَوْمٍ عَلَى المِنْبَرِ وَجَلَسْنَا حَوْلَهُ، فَقَالَ: «إِنِّي مِمَّا أَخَافُ عَلَيْكُمْ مِنْ بَعْدِي، مَا يُفْتَحُ عَلَيْكُمْ مِنْ زَهْرَةِ الدُّنْيَا وَزِينَتِهَا» فَقَالَ رَجُلٌ: يَا رَسُولَ اللَّهِ، أَوَيَأْتِي الخَيْرُ بِالشَّرِّ؟ فَسَكَتَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقِيلَ لَهُ: مَا شَأْنُكَ؟ تُكَلِّمُ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ وَلاَ يُكَلِّمُكَ؟ فَرَأَيْنَا أَنَّهُ يُنْزَلُ عَلَيْهِ؟ قَالَ: فَمَسَحَ عَنْهُ الرُّحَضَاءَ، فَقَالَ: «أَيْنَ السَّائِلُ؟» وَكَأَنَّهُ حَمِدَهُ، فَقَالَ: «إِنَّهُ لاَ يَأْتِي الخَيْرُ بِالشَّرِّ، وَإِنَّ مِمَّا يُنْبِتُ الرَّبِيعُ يَقْتُلُ أَوْ يُلِمُّ، إِلَّا آكِلَةَ الخَضْرَاءِ، أَكَلَتْ حَتَّى إِذَا امْتَدَّتْ خَاصِرَتَاهَا اسْتَقْبَلَتْ عَيْنَ الشَّمْسِ، فَثَلَطَتْ وَبَالَتْ، وَرَتَعَتْ، وَإِنَّ هَذَا المَالَ خَضِرَةٌ حُلْوَةٌ، فَنِعْمَ صَاحِبُ المُسْلِمِ مَا أَعْطَى مِنْهُ المِسْكِينَ وَاليَتِيمَ وَابْنَ السَّبِيلِ - أَوْ كَمَا قَالَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ - وَإِنَّهُ مَنْ يَأْخُذُهُ بِغَيْرِ حَقِّهِ، كَالَّذِي يَأْكُلُ وَلاَ يَشْبَعُ، وَيَكُونُ شَهِيدًا عَلَيْهِ يَوْمَ القِيَامَةِ».

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 1465]
المزيــد ...

અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે:
એક દિવસે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મિમ્બર પર હતા અને અમે પણ તેમની આજુબાજુ બેઠા હતા, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હું તમારા વિષે તે વાતથી ભયભીત થાઉં છે કે દુનિયાની સમૃદ્ધિ અને શણગારના દ્વાર ખોલી દેવામાં આવશે» તો એક વ્યક્તિએ કહ્યું: હે અલ્લાહના પયગંબર! શું ભલાઈ બુરાઈ લાવશે? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ચૂપ થઈ ગયા, તો તે વ્યક્તિને કહેવામાં આવ્યું: તને શું થયું? તે અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે વાત કરી પરંતુ તેઓ તમારી સાથે વાત નથી કરી રહ્યા? તો અમે જોયું કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર વહી ઉતરી રહી હતી, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પસીનો સાફ કર્યો, ફરી કહ્યું: «સવાલ કરનાર વ્યક્તિ ક્યાં છે?» અને આપે તે સવાલની પ્રસંશા કરી, અને કહ્યું: «ભલાઈ બુરાઈને નથી લાવતી; કારણકે વસંત ઋતુમાં કેટલીક ઘાસ એવી ઉગે છે, જે હાનિકારક અથવા તકલીફ આપનારી સાબિત થાય છે, જો કે લીલોતરી ચરવાવાળો તે જાનવર બચી જાય છે, જે ખૂબ ચરે છે, જ્યારે તેની આંતરડું ભરાઈ જાય છે, તો સૂર્ય તરફ મોઢું કરી સંડાસ તેમજ પેશાબ કરી લે છે, અને પછી તે જાનવર પાછું આવી ચરવા લાગે છે, એ જ પ્રમાણે ખરેખર આ માલ સુંદર અને મીઠો છે, બસ તે મુસલમાનનો માલ કેટલો સુંદર છે, જે પોતાના માલ માંથી ગરીબો, અનાથો અને મુસાફિરોને આપે છે, - અથવા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આમ કહ્યું - બસ જે વ્યક્તિ તે માલમાંથી હકથી વધારે લે છે, તો તે એવો છે, જે ખાય છે તો ખરો પણ તેનું પેટ ભરાતું નથી, અને તે જ માલ કયામતના દિવસે તેની વિરુદ્ધ ગવાહી આપશે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 1465]

સમજુતી

એક દિવસ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મિમ્બર પર બેઠા હતા અને પોતાના સાથીઓ સાથે વાતચીત કરી રહ્યા હતા, તો કહ્યું:
મારા પછી હું જે બાબતે તમારા પ્રત્યે ભયભીત છું, તે એ કે તમારા માટે જમીનની બરકતો અને દુનિયાની સુંદરતા અને તેનો સામાનના દરેક પ્રકારો જેમકે કપડાં, ખેતી, અને અન્ય વસ્તુઓ ખોલી નાખવામાં આવશે, જેના પર લોકો તે વસ્તુઓને ખતમ થઈ જવા પર પણ ગર્વ કરશે.
એક વ્યક્તિરએ કહ્યું: શું દુનિયાની સુંદરતા અલ્લાહ તરફથી નેઅમત નહીં હોય, શું આ નેઅમત લઅનત અને અઝાબ બની જશે?!
લોકોએ સવાલને જોઈ તેની ખામીઓ કાઢી, વર્ણન કરવામાં આવે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ચૂપ થઈ ગયા, અને લોકોને લાગ્યું તે ગુસ્સે થઈ ગયા છે.
રિવાયત કરનાર જણાવે છે કે ફરી અમે જાણ્યું કે તે સમયે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર વહી ઉતરી રહી હતી, ફરી તેમણે પોતાના કપાળ પરથી પસીનો સાફ કર્યો, અને કહ્યું: સવાલ કરનાર ક્યાં છે?
સવાલ કરનારે કહ્યું: હું.
ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અલ્લાહના વખાણ કર્યા અને કહ્યું: વાસ્તવમાં ભલાઈ ભલાઈ ને જ લઈને આવે છે, પરંતુ આ ફૂલ જેમાં ફક્ત ભલાઈ નથી હોતી પરંતુ તેની સાથે સાથે ફિતના, ઝઘડા, મુકાબલો કરવો, અને ખૂબ જ વ્યસ્તતા પણ હોય છે, ફરી ઉદાહરણ આપતા કહ્યું: ખરેખર વસંત ઋતુમાં ઊગતી દરેક હરિયાળી એક પ્રકારનો પાક છે, જે જાનવરોને આકર્ષિત કરે છે, બસ જે જાનવર તેને વધુ પ્રમાણમાં ખાઈ તો તે નષ્ટ થઈ જાય છે અથવા મૃત્યુની નજીક પહોંચી જાય છે, સિવાય તે જાનવર, જે શાકભાજી ખાઈ છે, અને પેટની બંને પુખ ભરાઈ જાય ત્યાં સુધી ખાઈ છે, ફરી તે સુર્ય તરફ જાય છે, ફરી તે પેશાબ અને સંડાસ કરે છે, અને જે કઈ પણ તેના પેટમાં હોય છે, તેને કાઢી નાખે છે, ફરી પાછું આવી ખાવા લાગે છે.
ખરેખર આ માલ હરિયાળીની માફક સુંદર અને મીઠો છે, જે વધુ પ્રમાણમાં હોય તે મારી નાખે છે અથવા મૃત્યુની નજીક લઈ જાય છે; સિવાય કે તે જે જરૂરત પ્રમાણે લે અને તેને હલાલ માર્ગ દ્વારા પ્રાપ્ત કરે, જે તેના માટે પૂરતો હોય, ત્યારે તેને કોઈ નુકસાન નહીં પહોંચે, બસ તે મુસાલમન કેટલો સારો છે, જે પોતાના માલ માંથી ગરીબો, અનાથો અને મુસાફરોને પણ સદકો આપે છે, અને જે વ્યક્તિ પોતાના અધિકાર પૂરતો જ માલ લે છે તો તેમાં તેના બરકત આપી દેવામાં આવે છે, અને જે વ્યક્તિ હકથી વધુ લે છે તો તેનું ઉદાહરણ એવું છે જે ખાઈ છે પરંતુ સંતુષ્ટ પામતો નથી અમે તે જ માલ કયામતના દિવસે તેના વિરુદ્ધ સાક્ષી આપશે.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી સ્વાહીલી પૂશ્તો આસામી الأمهرية الهولندية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષમાં જે વ્યક્તિ પોતાના હક પ્રમાણે માલ લે છે અને તેણે સારો કાર્યોમાં ખર્ચ કરે છે, તેની મહત્ત્વતા વર્ણન કરવામાં આવી છે.
  2. આ હદીષ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પોતાની કોમ વિષે કરેલી ભવિષ્યવાળીઓ માંથી છે, કે તેમના માટે દુનિયાની સુંદરતા અને ફિતનાના દ્વાર ખોલી દેવામાં આવશે.
  3. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો તરીકો કે આપ અર્થ સમજાવવા માટે ક્યારેક ઉદાહરણો આપતા હતા.
  4. માલને સદકો કરવા અને તેને સારો કામોમાં ખર્ચ કરવા પ્રત્યે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, અને તેને રોકી રાખવા પર ચેતવણી આપવામાં આવી છે.
  5. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના આ શબ્દ "ખરેખર ભલાઈ બુરાઈને લઈને નથી આવતી" જાણવા મળે છે કે પુષ્કળ પ્રમાણમાં મળતી રોજી વાસ્તવમાં સારી જ છે, પરંતુ તેમાં બુરાઈ ત્યારે આવે છે જ્યારે તેના હકદારોને આપવામાં ન આવે અને કંજૂસી કરવામાં આવે, અને શરીઅત વિરુદ્ધ તે માલને ખર્ચ કરી તેને વેડફી નાખવામાં આવે, ખરેખર અલ્લાહ તરફથી આવતા દરેક નિર્ણયમાં ભલાઈ જ હોય છે, તેમાં ભલાઈ વિરુદ્ધ બુરાઈ નથી હોતી, પરંતુ ભય તે વાત પર છે કે જેને પુષ્કળ પ્રમાણમાં રોજી આપવામાં આવે તેમાં બુરાઈ આવી જાય.
  6. જવાબ આપવામાં ઉતાવળ ન કરવી જોઈએ, જો તેમાં ચિંતનમનન કરવાની જરૂર હોય.
  7. ઈમામ તીબી રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષમાંથી ચાર પ્રકાર લેવામાં આવશે, જે તેમાંથી ખાય છે તે અતિશય આનંદ અને થાક સાથે ખાય છે, જ્યાં સુધી તેની પાંસળીઓ ફૂલી ન જાય અને તે તેને બહાર ન કાઢે, તો તે ઝડપથી મૃત્યુ પામે છે, અને જે આ પ્રમાણે ખાઈ છે, પરંતુ બીમારી આવ્યા પછી તેનાથી બચવા માટે પોતાને ધોખો આપે છે, તો બીમારી તેના પર હાવી થઈ જાય છે, અને તેને નષ્ટ કરી દે છે, અને જે વ્યક્તિ આ પ્રમાણે ખાઈ છે, પરંતુ તે નુકસાન પહોંચાડવાવાળી વસ્તુઓને દૂર કરવામાં જલ્દી કરે છે, અને તેને ત્યાં સુધી બહાર કાઢતો રહે છે જ્યાં સુધી તે ખતમ ન થઈ જાય, તો તે બચી જાય છે, અને જે ન તો જરૂરત કરતાં વધુ ખાઈ ન તો આનંદ પ્રાપ્ત કરવા ખાઈ છે, પરંતુ તે પોતાને ત્યાં સુધી સીમિત રાખે છે, જે તેની ભૂખ ખતમ કરે અને તેની તરસ ખતમ કરી દે, પહેલું ઉદાહરણ કાફિરનું છે, બીજું ઉદહારણ તે પાપીનું છે જે ગુનાહ છોડવા અને તૌબા કરવાથી ગાફેલ છે, ત્રીજું ઉદાહરણ તે ભ્રમિત વ્યક્તિનું છે, જે તૌબા કરવાનું શરૂ છે, અહીં સુધી કે તેની તૌબા કબૂલ કરવામાં આવે છે અને ચોથું ઉદાહરણ તે વ્યક્તિનું છે, જે આ દુનિયાણી સન્યાસ લઈ મૃત્યુ પછીના જીવન એટલે કે આખિરતની આશા રાખે છે.
  8. ઈમામ ઇબને મુન્ઝિર રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષમાં કેટલાક અનોખા ઉદાહરણો વર્ણન કરવામાં આવતા છે, પહેલું: માલને તેના વધારાનું ઉદાહરણ વૃક્ષો અને તેના ફળો દ્વારા આપવામાં આવ્યું છે, બીજું: માલ કમાવવા અને તેની પ્રાપ્તિ માટે સ્ત્રોતો અપનાવનારનું ઉદાહરણ તે પશુઓ દ્વારા આપવામાં આવ્યું છે, જેઓ જંગલમાં જીવન પસાર કરે છે, ત્રીજું: જે વ્યક્તિ ધનને વધારવા અને તેને એકઠું કરવામાં લાગેલો રહે છે, તેનું ઉદાહરણ શિર્રહ (એક પ્રકારનું જંગલી જાનવર) દ્વારા આપ્યું છે, જે સતત ખાતું રહે છે અને પેટ ભરેલું રાખે છે, ચોથું: તે વ્યક્તિ જેના મનમાં ધનની એટલી લાલચ હોય કે તે કંજૂસ બની જાય, તેનું ઉદાહરણ તે જાનવર દ્વારા આપ્યું છે જેને બંદૂક વડે બિવડાવવામાં આવે છે, અને તે બંદૂકથી ભયભીત થાય છે, આ હદીષમાં એક સૂક્ષ્મ સંકેત છે કે શરીઅત મુજબ વ્યક્તિએ સંપત્તિથી દૂર રહેવું જોઈએ, પાંચમું: માનવીના ઉઠવા બેસવાનું ઉદાહરણ એક બકરી દ્વારા આપ્યું છે કે જ્યારે તે આરામ કરવા ઈચ્છે છે અને તો તે સુર્ય તરફ ચહેરો કરી બેસે છે, કારણકે આ બકરીની સૌથી શ્રેષ્ઠ સ્થિતિ હોય છે, ચૂપ રહેવા અને શાંત રહેવા પ્રમાણે, તો આમાં તે વાત તરફ ઈશારો કરવામાં આવ્યો છે, માનવી પોતાના માટે સારી વસ્તુઓ પસંદ કરે, છઠ્ઠુ: જે ભૂખથી મૃત્યુ પામે છે તેનું ઉદાહરણ તે જાનવર દ્વારા આપવામાં આવ્યું છે જેને તે વાતની જરાઈ ખબર હોતી નથી કે તેણે શું નુકસાન પહોંચી રહ્યું છે, સાતમું: માલનું ઉદાહરણ તે સાથી દ્વારા આપ્યું છે જેનાથી તે સુરક્ષિત રહી શકતો નથી, કારણકે માલની ખૂબી એ છે કે તેણે એક સુરક્ષિત જગાએ મૂકવામાં આવે, અને આજ કારણ છે કે તેણે એવા લોકોથી દૂર રાખવામાં આવે છે જેનાથી માલને નુકસાન પહોંચી શકે છે, આઠમું: જે માલને પોતાના અધિકાર વગર પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે, તેનું ઉદાહરણ તે વ્યક્તિ જેવુ છે ખાઈ છે પરંતુ તે સંતુષ્ટ થતો નથી.
  9. ઈમામ સિન્દી રહિમહુલ્લાહએ કહ્યું: ખબર બાબતે બે વસ્તુઓ હોવી જરૂરી છે, તેમાંથી એક: તેને સહીહ સ્થિતિમાં એકઠી કરવામાં આવે, અને બીજું: તેને તેની જગ્યા પર ખર્ચ કરવામાં આવે, જ્યારે આ બન્ને માંથી એક પણ ન હોય તો તે નુકસાનકારક છે... અને કહેવામાં આવ્યું: આ બંને પ્રતિબંધો વચ્ચેની સતત્યતા દર્શાવે છે; કારણકે વ્યક્તિ પૈસા યોગ્ય જગ્યા પર ખર્ચી નહીં શકે જો તેને અન્ય માધ્યમ દ્વારા લે.
વધુ