+ -

وَإِنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ خَرَجَ عَلَى حَلْقَةٍ مِنْ أَصْحَابِهِ، فَقَالَ: «مَا أَجْلَسَكُمْ؟» قَالُوا: جَلَسْنَا نَذْكُرُ اللهَ وَنَحْمَدُهُ عَلَى مَا هَدَانَا لِلْإِسْلَامِ، وَمَنَّ بِهِ عَلَيْنَا، قَالَ: «آللَّهِ مَا أَجْلَسَكُمْ إِلَّا ذَاكَ؟» قَالُوا: وَاللهِ مَا أَجْلَسَنَا إِلَّا ذَاكَ، قَالَ: @«أَمَا إِنِّي لَمْ أَسْتَحْلِفْكُمْ تُهْمَةً لَكُمْ، وَلَكِنَّهُ أَتَانِي جِبْرِيلُ فَأَخْبَرَنِي أَنَّ اللهَ عَزَّ وَجَلَّ يُبَاهِي بِكُمُ الْمَلَائِكَةَ».
[صحيح] - [رواه مسلم]
المزيــد ...

અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) એ કહ્યું: મુઆવિયહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) મસ્જિદમાં બેઠેલા એક જૂથ પાસે આવ્યા અને કહ્યું: તમે અહિયાં કેમ બેઠા છો? તેઓએ જવાબ આપ્યો: અમે અલ્લાહનો ઝિક્ર કરવા બેઠા છે, તો મુઆવિયહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) એ કહ્યું: અલ્લાહની કસમ ખાઈને કહો કે તમે ફક્ત આ જ હેતુથી બેઠા છો? તેઓએ જવાબ આપ્યો: અમે ફક્ત આજ હેતુથી બેઠા છે, તો મુઆવિયહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) એ કહ્યું: મેં તમને એટલા માટે કસમ ખાવાનું નથી કહ્યું કે મને તમારા પર કોઈ શંકા છે, અને કોઈ પણ વ્યક્તિ એવો નથી જે મારી જેમ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ની નજીક હોય અને તેણે આટલી ઓછી હદીષો વર્ણન કરી હોય (અર્થાત્ મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ની સૌથી નજીક હોવા છતાંય બહુ ઓછી હદીષો વર્ણન કરી છે):
અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એક વખતે મસ્જિદમાં બેઠેલા પોતાના સહાબાઓના જૂથ પાસે આવ્યા અને કહ્યું: «તમે અહિયાં કેમ બેઠા છો?» તેઓએ જવાબ આપ્યો: અમે અલ્લાહનો ઝિક્ર કરવા અને તે વ્યક્તિના વખાણ કરવા બેઠા જેના દ્વારા અમને ઇસ્લામની હિદાયત પ્રાપ્ત થઈ, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «અલ્લાહની કસમ ખાઈને કહો કે તમે ફક્ત આજ હેતુ ખાતર બેઠા છો?» તેઓએ જવાબ આપ્યો: અલ્લાહની કસમ અમે ફક્ત આજ હેતુ ખાતર બેઠા છે, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «મેં તમને એટલા માટે કસમ ખાવાનું નથી કહ્યું કે મને તમારા પર કોઈ શંકા છે, પરંતુ મારી પાસે જિબ્રઈલ અલૈહિસ્ સલામ (તેમના પર સલામતી થાય) આવ્યા અને કહ્યું કે સર્વશક્તિમાન અને મહાન અલ્લાહ ફરિશ્તાઓ સમક્ષ તમારા પર ગર્વ કરે છે».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે

સમજુતી

મુઆવિયહ બિન અબી સુફયાન રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) મસ્જિદમાં બેઠેલા એક જૂથ પાસે આવ્યા અને તેમને સવાલ કર્યો કે તમે અહિયાં કેમ ભેગા થયા છો? તો લોકોએ જવાબ આપ્યો: અમે અલ્લાહનો ઝિક્ર કરવા બેઠા છે, તો મુઆવિયહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) એ તેમને કસમ ખાવાનું કહ્યું કે તેઓ સાચે જ ફક્ત એક અલ્લાહના ઝિક્ર કરવાના હેતુ થી જ બેઠા છે? તો તેઓએ કસમ ખાઈને જણાવ્યું કે તેઓ ફક્ત અલ્લાહનો ઝિક્ર કરવા જ બેઠા છે, ફરી મુઆવિયહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) એ તેમને કહ્યું: મેં તમને એટલા માટે કસમ ખાવાનું નથી કહ્યું કે હું તમને જૂઠ્ઠા સમજુ છું અને તમારા સાચા હોવામાં મને કોઈ શંકા છે, ફરી તેમણે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ની નજીક પોતાની સ્થિતિ વિષે જણાવ્યું કે તેમને જે નિકટતા પ્રાપ્ત હતી તે બીજા કોઈને ન હતી, કારણકે તેમની બહેન ઉમ્મે હબીબહ રઝી અલ્લાહુ અન્હા (અલ્લાહ તેમનાથી રાજી થાય) નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ના પત્ની હતા, અને તેઓ વહી લખનારાઓ માંથી પણ હતા, પરંતુ તેમણે ખૂબ જ ઓછી હદીષો વર્ણન કરી છે, તો મુઆવિયહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) એ હદીષ વર્ણન કરી કે એક દિવસ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) પોતાના ઘરેથી નીકળ્યા, તો તેમણે કેટલાક લોકોને મસ્જિદમાં બેઠેલા જોયા, જેઓ અલ્લાહનો ઝિક્ર અને જેના દ્વારા તેમને ઇસ્લામની હિદાયત મળી એટલે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ના વખાણ કરતાં હતા, અને તેના પર આભાર વ્યક્ત કરતાં હતા, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ તેમને પણ સવાલ કર્યો અને કસમ ખાવાનું કહ્યું જેનું અનુસરણ કરી મુઆવિયહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) એ પોતાના સાથીઓ સાથે કર્યું, ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ તેમને સવાલ કરવાનો અને કસમ ખાવા વિશેનો હેતુ જણાવ્યો: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) પાસે જિબ્રઈલ અલૈહિસ્ સલામ (તેમના પર સલામતી થાય) આવ્યા, અને જણાવ્યું કે સર્વશક્તિમાન અં મહાન અલ્લાહ પોતાના ફરિશ્તાઓ સમક્ષ તમારા પર ગર્વ કરે છે, અને તમારા વખાણ કરે છે, અને તમારી નેકીઓ તેમની સમક્ષ રજૂ કરે છે અને ખૂબ જ વખાણ કરે છે.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ સ્વાહીલી થાય આસામી السويدية الأمهرية القيرقيزية اليوروبا الدرية الصومالية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. મુઆવિયહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) ની મહત્ત્વતા, અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) નું અનુસરણ કરી તેમનું ઇલ્મ ફેલાવવાનો ઉત્સાહ.
  2. ખબરની મહત્ત્વતાના કારણે આરોપ લગાવ્યા વિના દલીલ માટે કોઈને કસમ ખાવા વિષે કહી શકાય છે.
  3. ઝિક્ર અને ઇલ્મની મજલિસોની મહત્ત્વતા કે અલ્લાહ તેને ખૂબ પસંદ કરે છે અને અને તેના વિષે પોતાના ફરિશ્તાઓ પાસે વખાણ કરે છે.
વધુ