+ -

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ عَنْ رَسُولِ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«قَالَ اللَّهُ تَبَارَكَ وَتَعَالَى: أَعْدَدْتُ لِعِبَادِي الصَّالِحِينَ، مَا لاَ عَيْنٌ رَأَتْ، وَلاَ أُذُنٌ سَمِعَتْ، وَلاَ خَطَرَ عَلَى قَلْبِ بَشَرٍ» قَالَ أَبُو هُرَيْرَةَ: اقْرَؤُوا إِنْ شِئْتُمْ: {فَلاَ تَعْلَمُ نَفْسٌ مَا أُخْفِيَ لَهُمْ مِنْ قُرَّةِ أَعْيُنٍ} [السجدة: 17].

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 4779]
المزيــد ...

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«અલ્લાહ તઆલાએ કહ્યું: મેં પોતાના સદાચારી બંદાઓ માટે એવી નેઅમતો તૈયાર કરીને રાખી છે, જેના વિશે ન તો કોઈ આંખે જોઈ છે અને ન તો કોઈ કાને સાંભળ્યું છે તેમજ ન તો કોઈ માનવીના દિલમાં તેના વિશે ખ્યાલ પણ આવ્યો હશે», અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: જો તમે પુષ્ટિ કરવા ઇચ્છતા હોવ તો કુરઆન મજીદની આ આયત પઢો: {કોઇ જીવ નથી જાણતો કે આંખોની ઠંડક માટે અમે શું છુપાવીને રાખ્યું છે} [અસ્ સજદહ: ૧૭].

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 4779]

સમજુતી

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે અલ્લાહ તઆલાએ કહ્યું: મેં મારા સદાચારી બંદાઓ માટે જન્નતમાં એવી નેઅમતો અને પ્રતિષ્ઠતા તૈયાર કરીને રાખી છે, જેને ન તો કોઈ આંખોએ જોઈ છે, ન તો કોઈ કાને તેના ગુણ વિશે સાંભળ્યું હશે ન તો કોઈ માનવીના મનમાં તેના વિશે ખ્યાલ પણ આવ્યો હશે અથવા પસાર થયો હશે. અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુંએ કહ્યું: જો તમે પુષ્ટિ કરવા ઇચ્છતા હોવ તો આ આયત પઢો:
{કોઇ જીવ નથી જાણતો કે આંખોની ઠંડક માટે અમે શું છુપાવીને રાખ્યું છે} [અસ્ સજદહ: ૧૭].

હદીષથી મળતા ફાયદા

  1. આ હદીષનો એક પ્રકાર છે જેમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પ્રત્યક્ષ પોતાના પાલનહારથી રિવાયત કરે છે, તેને હદીષે કુદ્સી કહેવામાં આવે છે, જેના શબ્દ અને અર્થ અલ્લાહ તરફથી હોય છે, પરંતુ તેમાં કુરઆન જેવા ગુણો નથી હોતા, જે તેને પ્રભુત્વ આપતા હોય, જેવું કે તેની તિલાવત એક ઈબાદત છે, તેના માટે પાકી જરૂરી છે, તેનું ચેલેન્જ આપવામાં આવ્યું હોય, તે એક મુઅજિઝો છે, અને એ વગર પણ.
  2. જે કંઈ અલ્લાહએ પોતાના સદાચારી બંદાઓ માટે તૈયાર કરીને રાખ્યું છે, તેની પ્રાપ્તિ માટે, લોકોને આજ્ઞાપાલન કરવા તરફ તેમજ દુષ્ટ કાર્યોને છોડવા પર પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
  3. અલ્લાહ તઆલાએ પોતાની કિતાબમાં અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાની સુન્નતમાં જન્નતની દરેક નેઅમતો વિશે જાણકારી નથી આપી, આપણને જેના વિશે જાણ નથી કરી તે વસ્તુ તેના કરતાં ખૂબ ભવ્ય છે, જેના વિશે આપણને જાણ આપી છે.
  4. જન્નતની નેઅમતોની સપૂર્ણતાની સ્પષ્ટતા અને એ કે જન્નતી લોકો તકલીફ અને પરેશાની વગર તેના આનંદમાં હશે.
  5. દુનિયાનો સામાન ક્ષણિક છે, જ્યારે કે આખિરતનો સામાન કાયમી અને હમેંશા માટે છે.
ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા સ્વાહીલી થાય આસામી الأمهرية الهولندية
ભાષાતર જુઓ
વધુ