عَنْ أَبِي سَعِيدٍ سَعْدِ بْنِ مَالِكِ بْنِ سِنَانٍ الخُدْرِيّ رَضِيَ اللَّهُ عَنْهُ أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«لَا ضَرَرَ وَلَا ضِرَارَ».
[حسن] - [رواه ابن ماجه، والدارقطني، وغيرهما مسندًا] - [الأربعون النووية: 32]
المزيــد ...
અબૂ સઇદ સઅદ બિન્ માલિક બિન્ સિનાન ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«ન તો (શરૂઆતમાં) કોઈને નુકસાન પહોંચાડવું માન્ય છે અને ન તો બદલામાં કોઈને નુકસાન પહોંચાડવું જાઈઝ છે».
-
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે ન તો પોતાને નુકસાન પહોંચાડવું જાઈઝ છે અને ન તો બીજા કોઈનું નુકસાન કરવું જાઈઝ છે, પોતે પોતાને નુકસાન કરવાથી બચવું જોઈએ અને બીજાને પણ નુકસાન પહોંચાડવાથી બચવું જોઈએ, બન્ને વાતો જાઈઝ (માન્ય) નથી. કોઈના માટે પણ નુકસાનના બદલે નુકસાન પહોંચાડવું જાઈઝ નથી; કારણકે નુકસાનને નુકસાનથી દૂર નથી કરી શકતા, ફક્ત કિસાસ (બદલા) રૂપે, અને તે પણ તે વખતે જાઈઝ છે કે અત્યાચાર કરવામાં ન આવે.