عَن ابنِ عباسٍ رضي الله عنهما أنَّ رسولَ اللهِ صلي الله عليه وسلم قال:
«لَو يُعطَى النّاسُ بدَعواهُم لادَّعَى رِجالٌ أموالَ قَومٍ ودِماءَهُم، لَكِنَّ البَيِّنَةَ على المُدَّعِى، واليَمينَ على مَن أنكَرَ».
[حسن] - [رواه البيهقي، وغيره هكذا، وبعضه في الصحيحين] - [الأربعون النووية: 33]
المزيــد ...
ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«જો લોકોને તેમના દાવા પ્રમાણે આપવામાં આવે, તો કેટલાક લોકો બીજાના માલ અને જાનનો દાવો કરવા લાગશે, પરંતુ આમ નથી, શરીઅતનો કાયદો એ છે કે દાવો કરનારે દલીલ આપવી પડશે, અને ઇન્કાર કરનારાએ સોગંદ ખાવી પડશે».
[હસન] - [رواه البيهقي وغيره هكذا وبعضه في الصحيحين] - [الأربعون النووية - 33]
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસ્સલમએ જણાવ્યું કે જો લોકોને આમ જ સામાન્ય દાવો કરવા પર, કોઈ પુરાવા અને પ્રમાણના માપદંડ વગર જ આપવામાં આવે, તો કેટલાક લોકો બીજાના માલ અને પ્રાણ સુધીનો પણ દાવો કરવા લાગશે, તેથી જરૂરી છે કે દાવો કરનારાએ પ્રમાણ (દલીલ) આપવું પડશે, જેનો તે દાવો કરી રહ્યો છે, જો તેની પાસે કોઈ પ્રમાણ ન હોય, તો તેનો દાવો રદ કરવામાં આવશે, તેમજ ઇન્કાર કરનારા માટે કસમ ખાવી જરૂરી છે, જો તે કસમ ખાઈ લેશે, તો તે નિર્દોષ ગણવામાં આવશે.