عَنْ عِمْرَانَ بْنِ حُصَيْنٍ رَضِيَ اللَّهُ عَنْهُمَا قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«خَيْرُكُمْ قَرْنِي، ثُمَّ الَّذِينَ يَلُونَهُمْ، ثُمَّ الَّذِينَ يَلُونَهُمْ» قَالَ عِمْرَانُ: لاَ أَدْرِي أَذَكَرَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ بَعْدُ قَرْنَيْنِ أَوْ ثَلاَثَةً، قَالَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «إِنَّ بَعْدَكُمْ قَوْمًا يَخُونُونَ وَلاَ يُؤْتَمَنُونَ، وَيَشْهَدُونَ وَلاَ يُسْتَشْهَدُونَ، وَيَنْذِرُونَ وَلاَ يَفُونَ، وَيَظْهَرُ فِيهِمُ السِّمَنُ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 2651]
المزيــد ...
ઇમરાન બિન હુસૈન રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«તમારા માંથી સૌથી શ્રેષ્ઠ મારા સમયના લોકો (સહાબાઓ) છે, પછી તે લોકો જેઓ તેમના પછી આવશે (અર્થાત્ તાબઈન), પછી તે લોકો જેઓ તેમના પછી આવશે (અર્થાત્ તબ્એ તાબઈન)», ઇમરાન રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: હું નથી જાણતો કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ બે સદીઓનો ઉલ્લેખ કર્યો કે ત્રણ સદીઓનો, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમારા પછી એવા લોકો પેદા થશે, જેઓ ખિયાનત કરતા હશે અને અમાનતનો ખ્યાલ નહીં રાખતા હોય, તેમને સાક્ષી માટે બોલાવવામાં નહીં આવે તો પણ તેઓ સાક્ષી આપતા હશે, નઝરો માનશે પરંતુ તેને પુરી નહીં કરે, મોટાપો તેમનામાં સામાન્ય હશે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 2651]
આ હદીષમાં નબી અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે એક જ સમયમાં ભેગી થનાર લોકોનું સૌથી શ્રેષ્ઠ જૂથ તે લોકોનું છે, જેઓ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સમયમાં હતા, ત્યારબાદ તે મોમિનોનું જૂથ, જેઓ સહાબાના સમયમાં હતા, તેમણે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો સમય નથી જોયો, તેમના પછી તાબઇ લોકો અને ત્યારબાદ તેમના પછીના લોકો જેઓ તેમનું અનુસરણ કરતા હતા, અને રિવાયત કરનાર સહાબીને શંકા થઈ કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ચોથી સદીનું વર્ણન કર્યું હશે કે નહીં. ફરી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તેમના પછી એવા લોકો આવશે, જેઓ ખિયાનત કરતા હશે અને લોકો તેમના પર ભરોસો નહીં કરે, અને સવાલ કરતા પહેલા જ સાક્ષી આપી દેશે, નઝરો તો માનશે પરંતુ નઝરો પુરી નહીં કરે, વધારે ખાવાપીવાના કારણે તેમને મોટાપો લાગી આવશે.