+ -

عَنْ أَنَسٍ رضي الله عنه قَالَ:
كَانَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَغْسِلُ، أَوْ كَانَ يَغْتَسِلُ، بِالصَّاعِ إِلَى خَمْسَةِ أَمْدَادٍ، وَيَتَوَضَّأُ بِالْمُدِّ.

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 201]
المزيــد ...

અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું:
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) જયારે ગુસલ (સ્નાન) કરતાં એક સાઅ થી લઈ પાંચ મુદ પાણી વડે કરતાં, અને એક મુદ વડે વઝૂ કરતાં.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 201]

સમજુતી

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) જ્યારે જનાબતનું સ્નાન કરતાં, તો એક સાઅ થી પાંચ મુદ પાણી વડે સ્નાન કરતાં, અને એક મુદ વડે વઝૂ કરતાં, એક સાઅ: ચાર મુદને કહે છે, અને એક મુદ: મધ્યમ વર્ગના માનવીની બંને હથેળીઓમાં આવતું પાણી.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી સ્વાહીલી પૂશ્તો આસામી الأمهرية الهولندية النيبالية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. વઝૂ અને સ્નાનમાં યોગ્ય પાણી વાપરવું જાઈઝ છે, અને જો પાણી ઉપલબ્ધ હોય, તો પણ તેનો બગાડ ન કરવો જોઈએ.
  2. વઝૂ અને સ્નાનમાં જરૂર પૂરતું જ પાણી લેવું જોઈએ, અને આ જ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) નું માર્ગદર્શન છે.
  3. મુખ્ય વાત એ છે કે વઝૂ અને ગુસલ (સ્નાન)માં કંજૂસી અને બગાડ વગર તેના વિષે વર્ણવેલ સુન્નતો અને અદબોને ધ્યાનમાં રાખી કરવામાં આવે, અને સાથે સાથે સમય, પાણીની અછત અને વધારેને પણ ધ્યાનમાં રાખવામાં આવે.
  4. જાનાબતનો અર્થ એ કે તે દરેક વ્યક્તિ જેને સમાગમ અથવા અન્ય કોઈ કારણે વીર્ય નીકળે છે, જ્યાં સુધી તે પાક ન થાય અર્થાત્ સ્નાન ન કરી લે ત્યાં સુધી તે નમાઝ અને અન્ય ઈબાદતોથી દૂર રહે છે.
  5. સાઅ: એક વિચલિત માપણું છે, અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ વર્ણવેલ સાઅનો અર્થ: જેનો વજન (૪૮૦) મિષ્કાલ સારી ક્વોલિટીના ઘઉં છે, જે લિટરમાં જોઈએ તો (ત્રણ) લિટર થાય.
  6. મુદ: એક શરિઅતે નક્કી કરેલ માપણું છે, જે એક મધ્યમ વર્ગના વ્યક્તિની હથેળી જેટલું છે, જ્યારે તેને તે ભરે છે, તો ફુક્હા (કાયદાશાસ્ત્રીઓ) ના મંતવ્ય પ્રમાણે તેનું વજન (૭૫૦) મિલીલીટર થાય છે.