عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«مَنْ تَرَدَّى مِنْ جَبَلٍ فَقَتَلَ نَفْسَهُ فَهُوَ فِي نَارِ جَهَنَّمَ يَتَرَدَّى فِيهِ خَالِدًا مُخَلَّدًا فِيهَا أَبَدًا، وَمَنْ تَحَسَّى سُمًّا فَقَتَلَ نَفْسَهُ فَسُمُّهُ فِي يَدِهِ يَتَحَسَّاهُ فِي نَارِ جَهَنَّمَ خَالِدًا مُخَلَّدًا فِيهَا أَبَدًا، وَمَنْ قَتَلَ نَفْسَهُ بِحَدِيدَةٍ فَحَدِيدَتُهُ فِي يَدِهِ يَجَأُ بِهَا فِي بَطْنِهِ فِي نَارِ جَهَنَّمَ خَالِدًا مُخَلَّدًا فِيهَا أَبَدًا».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 5778]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«જે વ્યક્તિએ પોતાને પર્વત પરથી ફેંકી આત્મહત્યા કરી, તે હમેંશા માટે જહન્નમમાં જશે, જે વ્યક્તિ ઝેર પી ને આત્મહત્યા કરશે, તે ઝેર તેની સાથે હશે અને તે તેને કાયમ જહન્નમમાં તે જ પ્રમાણે પીતો રહેશે અને જેણે લોખંડના કોઈ હથિયાર વડે આત્મહત્યા કરી, તો તે હથિયાર તેની સાથે હશે અને તે જહન્નમની આગમાં હમેંશા તેનાથી પોતાના પેટમાં મારતો રહેશે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 5778]
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ચેતવણી આપી છે કે જે વ્યક્તિ આ દુનિયામાં પોતાને જાણી જોઈને મારી નાખશે અર્થાત્ આત્મહત્યા કરી લેશે, તો કયામતના દિવસે તેને સજા રૂપે જહન્નમની આગમાં જે તે વસ્તુથી તેણે પોતાના પ્રાણ લીધા હશે, તે તેની સાથે હશે, તે સરખો બદલો હશે, જો તેણે પર્વત ઉપરથી ચઢી પોતાને ફેંકી આત્મહત્યા કરી હશે, તો તેને પણ જહન્નમમાં પર્વત ઉપરથી નીચે આગમાં ફેંકવામાં આવશે અને તે હમેંશા હમેશ તેમાં રહેશે, જે વ્યક્તિ ઝેર પી ને પોતાને નષ્ટ કરશે, તો તેને પણ હમેંશા પીવા માટે જહન્નમની આગમાં ઝેર જ આપવામાં આવશે, અને જે વ્યક્તિએ કોઈ લોખંડના હથિયાર વડે પોતાના પેટમાં મારી હત્યા કરી હશે તો તે પણ જહન્નમમાં કાયમી તે હથિયાર વડે પોતાના પેટમાં મારતો હશે.