عَنْ أَنَسِ بْنِ مَالِكٍ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ:
قَدِمَ أُنَاسٌ مِنْ عُكْلٍ أَوْ عُرَيْنَةَ، فَاجْتَوَوْا المَدِينَةَ فَأَمَرَهُمُ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ بِلِقَاحٍ، وَأَنْ يَشْرَبُوا مِنْ أَبْوَالِهَا وَأَلْبَانِهَا، فَانْطَلَقُوا، فَلَمَّا صَحُّوا قَتَلُوا رَاعِيَ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، وَاسْتَاقُوا النَّعَمَ، فَجَاءَ الخَبَرُ فِي أَوَّلِ النَّهَارِ، فَبَعَثَ فِي آثَارِهِمْ، فَلَمَّا ارْتَفَعَ النَّهَارُ جِيءَ بِهِمْ، فَأَمَرَ فَقَطَعَ أَيْدِيَهُمْ وَأَرْجُلَهُمْ، وَسُمِرَتْ أَعْيُنُهُمْ، وَأُلْقُوا فِي الحَرَّةِ، يَسْتَسْقُونَ فَلاَ يُسْقَوْنَ، قَالَ أَبُو قِلاَبَةَ: فَهَؤُلاَءِ سَرَقُوا وَقَتَلُوا، وَكَفَرُوا بَعْدَ إِيمَانِهِمْ، وَحَارَبُوا اللَّهَ وَرَسُولَهُ.
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 233]
المزيــد ...
અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું:
કેટલાક ઉકલ અને ઉરૈનહ (ખાનદાનના લોકો મદીનહ આવ્યા અને બીમાર થઈ ગયા, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમને લિકાહમાં જવાનો આદેશ આપ્યો, અને કહ્યું કે ત્યાં જઈ ઊંટોનું દૂધ અને પેશાબ પીવો, તેથી તેઓ લિકાહ જતાં રહ્યા, જ્યારે તેઓ સારા થઈ ગયા, તો તેઓએ ભરવાડને મારી, જાનવરો હાંકીને લઈ ગયા, બસ જ્યારે સવારે આ વાતની જાણ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને પહોંચી, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમની પાછળ માણસો મોકલ્યા, દિવસ ચઢતાની સાથે તેમને પકડી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સમક્ષ રજૂ કરવામાં આવ્યા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના આદેશ અનુસાર તેમના હાથ પગ કાપી નાખવામાં આવ્યા, અને તેમની આંખોમાં ગરમ ગરમ સળીયા નાખી દેવામાં આવ્યા અને તેમને (મદિનહ) સપાટ જમીનમાં નાખી દેવામાં આવ્યા, તેઓ તરસ કારણે પાણી માંગતા હતા, પરંતુ તેમને પાણી આપવામાં આવતું ન હતું, અબૂ કલાબહએ તેમના પાપની ભયાનકતા વર્ણન કરતાં કહ્યું: તે લોકોએ ચોરી કરી, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ભરવાડનું કત્લ કર્યું, ઈમાનથી ફરી ગયા, અને અલ્લાહ અને તેના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે યુદ્ધ કર્યું.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 233]
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે બે ખાનદાન ઉકલ અને ઉરૈનહના (લોકો મુસલમાન થઈ મદીનહ આવ્યા અને તેમને એક એવી બીમારી લાગી, જેના કારણે તેમના પેટ ફૂલી ગયા, મદિનહની હવા અને ખાવાનું તેમને અનુકૂળ ન હોવાના કારણે તેઓ મદિનહમાં રહેવું ના પસંદ કરવા લાગ્યા. તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમને સદકાના ઊંટો પાસે જવાનો આદેશ આપ્યો કે ત્યાં જઈ ઊંટોનું દૂધ અને પેશાબ પીવો, તેથી તેઓ જતાં રહ્યા, જ્યારે તેઓ સારા થઈ ગયા, અને તેમનું વજન વધ્યું અને રંગ પાછો આવી ગયો, તો તેમણે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ભરવાડને મારી, જાનવરો હાંકીને લઈ ગયા, બસ જ્યારે સવારે આ વાતની જાણ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને પહોંચી, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમની પાછળ માણસો મોકલ્યા, દિવસ ચઢતાની સાથે તેમને પકડી બંદી બનાવી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સમક્ષ રજૂ કરવામાં આવ્યા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ના આદેશ અનુસાર તેમના હાથ પગ કાપી નાખવામાં આવ્યા, અને તેમની આંખોમાં ગરમ ગરમ સળીયા નાખી બહાર કાઢવામાં આવે, કારણકે તેમણે પણ ભરવાડ સાથે આમ જ કર્યું હતું, ફરી તેમને (મદિનહ) સપાટ જમીનમાં નાખી દેવામાં આવ્યા, તેઓ તરસના કારણે પાણી માંગતા હતા, પરંતુ તેમણે પાણી આપવામાં આવતું ન હતું, અહીં સુધી કે તેઓ મૃત્યુ પામી ગયા. અબૂ કલાબહએ કહ્યું: તે લોકોએ ચોરી કરી, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ભરવાડને કત્લ કર્યો, ઈમાનથી ફરી ગયા, અને અલ્લાહ અને તેના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે યુદ્ધ કર્યું.