عن عائشة رضي الله عنها قالت:
كَانَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَذْكُرُ اللهَ عَلَى كُلِّ أَحْيَانِهِ.

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 373]
المزيــد ...

આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેઓ કહે છે કે:
નબી ﷺ દરેક સ્થિતિમાં અલ્લાહનો ઝિક્ર (અલ્લાહના વખાણ) કરતા હતા.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 373]

સમજુતી

આયશા રઝી અલ્લાહુ અન્હા કહે છે કે અલ્લાહના રસૂલ ﷺ અલ્લાહનો ઝિક્ર બાબતે ખૂબ જ ઉત્સુક હતા, દરેક સમયે, દરેક જગ્યાએ અને દરેક સ્થિતિમાં અલ્લાહનો ઝિક્ર કરતા હતા.

હદીષથી મળતા ફાયદા

  1. અલ્લાહના ઝિક્ર માટે નાની અથવા મોટી ગંદકીથી પાકી લેવી શરત નથી.
  2. નબી ﷺ નિયમિત રીતે અલ્લાહ તઆલાનો ઝિક્ર કરતાં હતા.
  3. અલ્લાહના રસૂલનું અનુસરણ કરતા દરેક સમયે અને દરેક સ્થિતિમાં અલ્લાહનો ઝિક્ર કરતા રહેવું જોઈએ, ફક્ત તે જગ્યાએ ઝિક્ર ન કરવો જોઈએ, જેની શરીઅતમાં રોક લગાવી છે, ઉદાહરણ તરીકે, સંડાસ કરતી વખતે.
ભાષાતર જુઓ
ભાષા: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ વધુ (62)