عن عائشة رضي الله عنها قالت:
كَانَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَذْكُرُ اللهَ عَلَى كُلِّ أَحْيَانِهِ.

[صحيح] - [رواه مسلم]
المزيــد ...

આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેઓ કહે છે કે:
નબી ﷺ દરેક સ્થિતિમાં અલ્લાહનો ઝિક્ર (અલ્લાહના વખાણ) કરતા હતા.

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - [Al-Bukhari as Mu‘allaq/hanging, with a decisive form]

સમજુતી

આયશા રઝી અલ્લાહુ અન્હા કહે છે કે અલ્લાહના રસૂલ ﷺ અલ્લાહનો ઝિક્ર બાબતે ખૂબ જ ઉત્સુક હતા, દરેક સમયે, દરેક જગ્યાએ અને દરેક સ્થિતિમાં અલ્લાહનો ઝિક્ર કરતા હતા.

ભાષાતર: અંગ્રેજી ફ્રેન્ચ સ્પેનિશ તુર્કી ઉર્દુ ઇન્ડોનિષયન બોસ્નિયન બંગાલી ચાઈનીઝ ફારસી ટગાલોગ હિન્દી વિયેતનામીસ સિન્હાલા ઉઇગુર કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય જર્મન જાપનીઝ પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية الدرية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. અલ્લાહના ઝિક્ર માટે નાની અથવા મોટી ગંદકીથી પાકી લેવી શરત નથી.
  2. નબી ﷺ નિયમિત રીતે અલ્લાહ તઆલાનો ઝિક્ર કરતાં હતા.
  3. અલ્લાહના રસૂલનું અનુસરણ કરતા દરેક સમયે અને દરેક સ્થિતિમાં અલ્લાહનો ઝિક્ર કરતા રહેવું જોઈએ, ફક્ત તે જગ્યાએ ઝિક્ર ન કરવો જોઈએ, જેની શરીઅતમાં રોક લગાવી છે, ઉદાહરણ તરીકે, સંડાસ કરતી વખતે.
વધુ