+ -

عَنْ أَنَسٍ رضي الله عنه أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«إِذَا تَوَضَّأَ أَحَدُكُمْ وَلَبِسَ خُفَّيْهِ فَلْيُصَلِّ فِيهِمَا، وَلْيَمْسَحْ عَلَيْهِمَا ثُمَّ لَا يَخْلَعْهُمَا إِنْ شَاءَ إِلَّا مِنْ جَنَابَةٍ».

[صحيح] - [رواه الدارقطني] - [سنن الدارقطني: 781]
المزيــد ...

અનસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«તમારા માંથી કોઈ વઝૂ કરે અને મોજા પહેરી લે તો તે મોજા પહેરીને જ નમાઝ પઢી લે, અને તે તેના પર મસહ કરી લે તેને કાઢવાની જરૂર નથી, હા, જો તેં જુનુબી થઈ જાય તો મોજા ઉતારવા પડશે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ દારુલ્ કુત્ની રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે] - [સુનન-અદ-દારુલ-કુતની - 781]

સમજુતી

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે એક મુસલમાન વઝૂ કરીને મોજા પહેરી લે, અને પછી તેનું વઝૂ તૂટી જાય, તો ફરીવાર તેની વઝૂ કરવાની ઈચ્છા થાય, તો તે બન્ને મોજા પર ફક્ત મસહ કરી શકે છે, અને તેમાં નમાઝ પઢી શકે છે, અને નક્કી કરેલ સમય સુધી તે આ રીતે કરી શકે છે, પરંતુ જો તે જુનુબી થઈ જાય, તો પછી તેને મોજા ઉતારવા પડશે અને ગુસલ કરવું પડશે.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી સ્વાહીલી આસામી الهولندية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. સંપૂર્ણ પાકી અને વઝૂ કર્યા વગર મોજા પર મસહ કરવો જાઈઝ નથી.
  2. રહેવાસી: મોજા પર મસહ કરવાનો સમયગાળો એક દિવસ અને એક રાત તેમજ મુસાફર માટે: ત્રણ દિવસ અને ત્રણ રાત.
  3. મોજા પર મસહ હદષે અસગર (નાની નાપાકી)માં કરી શકે છે, હદષે અકબર મોટી નાપાકી માટે નહીં, હદષે અકબર માં મોજા ઉતારવા પડશે અને બન્ને પગ ધોવા પડશે.
  4. બુટ, ચપ્પલ, મોજામાં નમાઝ પઢવી મુસ્તહબ છે, જો તે પાક હોય, યહૂદીઓનો વિરોધ કરતા, તેનાથી મુસલલીઓને તકલીફ પહોંચવી ન જોઈએ, એવી જ રીતે મસ્જિદને પણ, જો ત્યાં કાલીન પાથરેલું હોય તો પછી તેમાં નમાઝ પઢવી યોગ્ય નથી.
  5. મોજા પર મસહ કરવાની પરવાનગી ઉમ્મત માટે સરળતા અને છૂટ માટે આપી છે.