عن حذيفة رضي الله عنه قال: سمعت النبي صلى الله عليه وسلم يقول:
«لَا يَدْخُلُ الْجَنَّةَ قَتَّاتٌ».
[صحيح] - [متفق عليه]
المزيــد ...
હુઝૈફા રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા:
«ચાડી કરનાર જન્નતમાં દાખલ નહીં થાય».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ
આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે લોકો વચ્ચે ફસાદ ફેલાવનાર વ્યક્તિ, જે લોકોના સંબંધ ખત્મ કરવા માટે એકબીજાની વાતોને આમતેમ કરતો હોય છે, તેના માટે સખત ચેતવણી છે, કે તે જન્નતમાં દાખલ નહીં થાય.