+ -

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ: سَمِعْتُ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«لاَ يَزَالُ قَلْبُ الكَبِيرِ شَابًّا فِي اثْنَتَيْنِ: فِي حُبِّ الدُّنْيَا وَطُولِ الأَمَلِ».

[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 6420]
المزيــد ...

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા:
«વૃદ્ધ વ્યક્તિનું હૃદય બે બાબતોમાં જુવાન રહે છે: દુનિયા સાથે પ્રેમ અને લાંબી લાંબી આશાઓ».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહુલ્ બુખારી - 6420]

સમજુતી

આ હદીષના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે વૃદ્ધ વ્યક્તિ ઉંમર વાળો થઈ જાય છે અને શરીરે કમજોર પણ થઈ જાય છે પરંતુ બે વસ્તુના લોભના તેનું હૃદય યુવાન રહે છે: પહેલું: વધુ માલની પ્રાપ્તિ માટે દુનિયા સાથે મોહબ્બત. બીજું: લાંબુ જીવન, જીવનમાં આરામ અને આશાઓ.

હદીષથી મળતા ફાયદા

  1. માનવી જે વસ્તુ સાથે પેદા થયો છે તેનું વર્ણન, જે દુનિયાની મોહબ્બત અને લાંબી આશાઓ છે.
  2. લાંબી લાંબી આશાઓ રાખવા પ્રત્યે નિંદા વર્ણન અને માલ એકઠો કરવાની આતુરતાનો ઉલ્લેખ, જે મૃત્યુની તૈયારી અને સદકો કરવાની મહત્ત્વતા દર્શાવે છે અને ગરીબોને દાન કરવા પર ઉભારે છે.
  3. મનુષ્ય પાસે સૌથી પ્રિય વસ્તુ તેનું નફસ છે, તે તેને જાણવી રાખવા ઈચ્છે છે, તેની તે લાંબી આયુની આશા રાખે છે, એવી જ રીતે માલ, સંપત્તિ પણ તેની નજીક પ્રિય છે; કારણકે તે આરોગ્ય અને આનંદને ટકાવી રાખવાનો સૌથી મોટો સ્ત્રોત છે, તે જેટલો પણ ખ્યાલ કરશે આ ખતમ થવાનું છે, તેટલી તેના પ્રત્યે મોહબત વધતી જશે, અને તેને જાણવી રાખવાની ઈચ્છા પણ વધતી જશે.
ભાષાતર: અંગ્રેજી ઇન્ડોનિષયન સિન્હાલા વિયેતનામીસ હૌસા સ્વાહીલી આસામી الهولندية الرومانية المجرية الجورجية
ભાષાતર જુઓ
વધુ