+ -

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«بَدَأَ الْإِسْلَامُ غَرِيبًا، وَسَيَعُودُ كَمَا بَدَأَ غَرِيبًا، فَطُوبَى لِلْغُرَبَاءِ».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 145]
المزيــد ...

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«ઇસ્લામની શરૂઆત અજાણતાની સ્થિતિમાં થઇ પછી નજીકમાં જ તે સ્થિતિમાં આવી જશે, જેનાથી શરૂઆત થઈ હતી, શુભસુચના છે, અજાણ લોકો માટે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 145]

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે ઇસ્લામની શરૂઆત એક નવીનતારૂપે થઈ તેમજ તેના અનુયાયીઓ પણ ઓછા હતા, એ જ પ્રમાણે તે પાછો આવશે, ઘણા ઓછા લોકો તેનું પાલન કરતા હશે, અજાણીયા લોકો માટે ખુશખબર છે, ખુશી છે તેમના માટે અને શાંતિ હશે.

હદીષથી મળતા ફાયદા

  1. એ વાતની જાણ કે ઇસ્લામ ફેલાવ્યા અને વિખ્યાત થયા પછી ફરીવાર અજાણ બની જશે.
  2. આ હદીષમાં નબૂવ્વતની નિશાનીઓ માંથી એક નિશાની પણ છે, જેમ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાના પછી થનારી બાબત વિષે જણાવ્યું, તે પ્રમાણે થયું પણ.
  3. ઇસ્લામ માટે પોતાનો વતમ અને ખાનદાન છોડી હિજરત કરવાની મહત્ત્વતા, અને એ કે તેમને જન્નત મળશે.
  4. અજાણ્યા તે લોકો છે જે લોકોની પથભ્રષ્ટાને સુધારે છે, જે લોકોએ પથભ્રષ્ટા ફેલાવી છે તેને સુધારે છે.
ભાષાતર: અંગ્રેજી ઇન્ડોનિષયન સિન્હાલા વિયેતનામીસ હૌસા સ્વાહીલી થાય આસામી الأمهرية الهولندية
ભાષાતર જુઓ
વધુ