+ -

عَنْ أَنَسٍ رضي الله عنه:
أَنَّ نَفَرًا مِنْ أَصْحَابِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ سَأَلُوا أَزْوَاجَ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ عَنْ عَمَلِهِ فِي السِّرِّ؟ فَقَالَ بَعْضُهُمْ: لَا أَتَزَوَّجُ النِّسَاءَ، وَقَالَ بَعْضُهُمْ: لَا آكُلُ اللَّحْمَ، وَقَالَ بَعْضُهُمْ: لَا أَنَامُ عَلَى فِرَاشٍ، فَحَمِدَ اللهَ وَأَثْنَى عَلَيْهِ، فَقَالَ: «مَا بَالُ أَقْوَامٍ قَالُوا كَذَا وَكَذَا؟ لَكِنِّي أُصَلِّي وَأَنَامُ، وَأَصُومُ وَأُفْطِرُ، وَأَتَزَوَّجُ النِّسَاءَ، فَمَنْ رَغِبَ عَنْ سُنَّتِي فَلَيْسَ مِنِّي».

[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 1401]
المزيــد ...

અનસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે:
નબી ﷺના કેટલાક સહાબાઓ નબી ﷺની કેટલીક પત્નીઓને નબી ﷺના ઘરના કાર્યો વિષે સવાલ કર્યો? (તેમની સ્થિતિ જાણી) કેટલાક લોકોએ કહ્યું: હું સ્ત્રી સાથે શાદી નહીં કરું, અને કેટલાક લોકોએ કહ્યું: હું મટન નહીં ખાઉં, અને કેટલાક લોકોએ કહ્યું: હું ગાદલાં પણ નહીં સૂઈ જાઉં, બસ જ્યારે આ વાત નબી ﷺને પહોંચી તો કહ્યું: «લોકોને શું થઈ ગયું છે તેઓ આમ આમ કહે છે? પરંતુ હું નમાઝ પણ પઢું છું અને સૂઈ પણ જાઉં છું, અને હું રોઝા પણ રાખું છે ને તેને છોડી પણ દઉં છું, અને હું સ્ત્રીઓ સાથે શાદી પણ કરું છું, બસ જેણે મારી સુન્નતની અવજ્ઞા કરી તેનો મારી સાથે કોઈ સંબંધ નથી».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 1401]

સમજુતી

સહાબા માંથી કેટલાક લોકો નબી ﷺની પત્નીઓ પાસે આવ્યા અને તેમની ઘરમાં ઈબાદત કરવાના તરીકા વિષે સવાલ કરવા લાગ્યા, બસ જ્યારે તેમણે જણાવ્યું, જેવુ તેમણે કહ્યું હતું, તો કહેવા લાગ્યા: અમારી નબી ﷺ સાથે સરખામણી કેમની? ખરેખર તેમના આગળના અને પાછલા દરેક ગુનાહ માફ કરી દેવામાં આવ્યા છે, બસ જે વ્યક્તિ પોતાની માફી વિષે ન જાણતો હોય તો તેણે ખૂબ જ ઈબાદત કરવી જોઈએ જેથી તે માફી પ્રાપ્ત કરી લે. ફરી તેમનાથી કેટલાક લોકો કહેવા લાગ્યા: હું સ્ત્રીઓ સાથે શાદી નહીં કરું. અને અન્ય લોકો કહેવા લાગ્યા: હું મટન નહીં ખાઉં. અને કેટલાક લોકો કહેવા લાગ્યા: હું ગાદલાં પર નહીં સૂઈ જાઉં. બસ જ્યારે આ વાત નબી ﷺને પહોંચી, તો સખત ગુસ્સે થયા, અને લોકોને ખુતબો આપ્યો, અલ્લાહના વખાણ કર્યા અને કહ્યું: લોકોને શું થઈ ગયું છે કે આમ આમ કહે છે? અલ્લાહની કસમ તમાર કરતાં વધુ અલ્લાહથી ડરવાવાળો અને તકવો રાખનાર હું છું, પરંતુ હું આરામ કરું છું જેથી નમાઝ માટે મને શક્તિ મળે, હું રોઝા પણ છોડું છું જેથી મને બીજા દિવસે રોઝો રાખવાની શક્તિ મળે, અને હું સ્ત્રીઓ સાથે શાદી પણ કરું છું, બસ જે મારા માર્ગથી ફરી જશે અને બીજા માર્ગ તરફ જશે, અને અન્ય માર્ગ અપનાવશે તો તેનો મારી સાથે કોઈ સંબંધ નથી.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી પુરતગાલી સ્વાહીલી આસામી
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. સહાબા રઝી અલ્લાહુ અન્હુમની ભલાઈના કામોથી મોહબ્બત અને તેને જાણી નબી ﷺનું અનુસરણ કરવાની ઉત્સુકતા.
  2. આ શરીઅતની સંપૂર્ણતા અને સરળતા, કે નબી ﷺના કાર્યો અને માર્ગદર્શનને અપનાવવા.
  3. નબી ﷺ અને તેમની શરીઅતનું અનુસરણ કરવામાં જ સંપૂર્ણ ભલાઈ અને બરકત છે.
  4. તાકાત વગર પોતાને ઈબાદતમાં લગાવવા પર ચેતવણી, અને આ સ્થિતિ બિદઅતીઓની છે.
  5. ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: ઈબાદતમાં સખ્તી કરવી તે આળસનું કારણ બને છે, જે તેના પાયાને તોડી નાખે છે, અને જે વ્યક્તિ ફક્ત ફરજ કાર્યોમાં લાગેલો રહે છે અને નફિલ કાર્યો છોડી દે છે, તે તેમાં સુસ્તી અને અલાસ્ ઉત્પન કરે છે જેના કારણ તે ચુસ્ત થઈ ઈબાદત કરી શકતો નથી, અને સૌથી શ્રેષ્ઠ કાર્યો મધ્યમ કાર્યો છે.
  6. આ હદીષ દ્વારા વરિષ્ઠ લોકોની સ્થિતિ જાણી તેમના અનુસરણ કરવાની મહત્ત્વતા જાણવા મળે છે, જો પુરુષો પાસેથી જાણવું અશક્ય હોય, તો સ્ત્રીઓ પાસેથી તેમના વિષે માહિતી મેળવી શકાય છે.
  7. આ હદીષમાં નસીહત કરવા, ઇલ્મની બાબતોને વર્ણન કરવા, ધાર્મિક લોકોના આદેશો વર્ણન કરવા, અને દીન બાબતે મહેનત કરનાર લોકની શંકાઓને દૂર કરવી શામેલ છે.
  8. ઈબાદતમાં નરમી અપનાવવી જોઈએ, અને તેની સુરક્ષા કરવાની સાથે સાથે ફરજ અને નફિલ ઈબાદતોની પણ સુરક્ષા કરવી જોઈએ, જેથી અન્ય મુસલમાનોના પણ અધિકારો પૂરા કરી શકાય.
  9. આ હદીષમાં શાદીની મહત્ત્વતા વર્ણન કરવામાં આવી છે અને તેના પર પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.