+ -

عَنْ عَائِشَةَ أُمِّ المُؤْمِنينَ رَضِيَ اللَّهُ عَنْهَا قَالَتْ:
مَا أَكَلَ آلُ مُحَمَّدٍ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ أَكْلَتَيْنِ فِي يَوْمٍ إِلَّا إِحْدَاهُمَا تَمْرٌ.

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 6455]
المزيــد ...

ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેમણે કહ્યું:
મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પરિવારે ક્યારેય દિવસમાં બે વાર ભોજન નથી લીધું, પરંતુ તેમાં એક ખજૂર હોતી.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 6455]

સમજુતી

ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા જણાવે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પરિવારના લોકોએ જો ક્યારેક એક દિવસમાં બે વખત ભોજન કર્યું હોય, તો તે બન્ને માંથી એક વખતનું ભોજન ખજૂર હોતી.

હદીષથી મળતા ફાયદા

  1. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને આપના પરિવારના લોકો ખુબ જ વિનમ્ર હતા; ક્યારેક તો તેમને દિવસમાં એક કરતા વધુ ભોજન પ્રાપ્ત પણ થતું ન હતું.
  2. ખજૂર અન્ય ખોરાક કરતા વધુ સરળતાથી ઉપલબ્ધ હોતી.
  3. થોડી રોજી પર સંતોષ રહેવા અને દુનિયાથી અળગા રહેવાની મહત્ત્વતા, અને તે પયગંબરો અને પયગંબરોના સરદાર (નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) ના અખ્લાક (શિષ્ટાચાર) માંથી છે.
  4. દિવસમાં બે વાર ભોજન લેવું જાઈઝ છે અને તે અરબોની આદત માંથી છે, તેઓ દિવસ માં બે વાર ભોજલ લેતા હતા, બપોરનું ભોજન અને રાત્રિનું ભોજન.
ભાષાતર: અંગ્રેજી ઇન્ડોનિષયન બંગાલી વિયેતનામીસ કુરદી હૌસા પુરતગાલી સ્વાહીલી થાય આસામી الهولندية الدرية المجرية الجورجية المقدونية الخميرية
ભાષાતર જુઓ
વધુ