عَنْ عَائِشَةَ أُمِّ المُؤْمِنينَ رَضِيَ اللَّهُ عَنْهَا قَالَتْ:
مَا أَكَلَ آلُ مُحَمَّدٍ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ أَكْلَتَيْنِ فِي يَوْمٍ إِلَّا إِحْدَاهُمَا تَمْرٌ.
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 6455]
المزيــد ...
ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેમણે કહ્યું:
મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પરિવારે ક્યારેય દિવસમાં બે વાર ભોજન નથી લીધું, પરંતુ તેમાં એક ખજૂર હોતી.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 6455]
ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા જણાવે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પરિવારના લોકોએ જો ક્યારેક એક દિવસમાં બે વખત ભોજન કર્યું હોય, તો તે બન્ને માંથી એક વખતનું ભોજન ખજૂર હોતી.