عَنْ عَبْدِ اللهِ بنِ مَسْعُودٍ رَضيَ اللهُ عنهُ قَالَ: نَامَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَلَى حَصِيرٍ، فَقَامَ وَقَدْ أَثَّرَ فِي جَنْبِهِ، فَقُلْنَا: يَا رَسُولَ اللهِ، لَوِ اتَّخَذْنَا لَكَ وِطَاءً، فَقَالَ:
«مَا لِي وَلِلدُّنْيَا، مَا أَنَا فِي الدُّنْيَا إِلاَّ كَرَاكِبٍ اسْتَظَلَّ تَحْتَ شَجَرَةٍ ثُمَّ رَاحَ وَتَرَكَهَا».
[صحيح] - [رواه الترمذي وابن ماجه] - [سنن الترمذي: 2377]
المزيــد ...
અબ્દુલ્લાહ ઇબને મસ્ઊદ રઝી. રિવાયત કરે છે, કે તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક ચટાઈ પર સૂઈ ગયા હતા, ફરી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઊભા થયા, તો તેમના શરીર પર તેના નિશાન હતા, તો અમે કહ્યું: હે અલ્લાહના પયગંબર! શું તમારા મતે અમે ગાદલું લઈ આવીએ? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«મારા માટે આ દુનિયાના જીવનનો શું મોહ? હું દુનિયાના જીવનમાં એક સવાર માફક છું, જે વૃક્ષ નીચે છાંયડો લે છે, પછી તેને છોડી આગળ ચાલ્યો જાય છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સુનન્ અત્ તિર્મિઝી - 2377]
અબ્દુલ્લાહ ઇબ્ને મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુએ જણાવ્યું કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કેટલાક છોડ માંથી બનાવેલી નાની ચટાઈ પર સૂઈ ગયા હતા, ફરી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઊભા થયા, તો તેમના બાજુના શરીરની ચામડી પર તેના નિશાન હતા, તો અમે કહ્યું: હે અલ્લાહના પયગંબર! શું તમારા માટે અમે નરમ ગાદલું લઈ આવીએ, જે આ લાકડીની ચટાઈ કરતાં સારું હશે, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: મને આ દુન્યવી જીવનની કોઈ વસ્તુ પ્રિય નથી, કે તેની હું ઈચ્છા કરું, દુનીયામાં માંરુ ઉદાહરણ તે સવાર માફક છે, જે એક વૃક્ષની નીચે છાંયડો શોધે છે, ફરી તેને છોડી આગળ વધી જાય છે.