عَنِ ابْنِ عُمَرَ رَضِيَ اللَّهُ عَنْهُمَا أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«إِنَّمَا مَثَلُ صَاحِبِ القُرْآنِ كَمَثَلِ صَاحِبِ الإِبِلِ المُعَقَّلَةِ، إِنْ عَاهَدَ عَلَيْهَا أَمْسَكَهَا، وَإِنْ أَطْلَقَهَا ذَهَبَتْ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 5031]
المزيــد ...
ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«ખરેખર કુરઆન યાદ કરનારનું ઉદાહરણ દોરડા વડે બાંધેલા ઊંટ જેવુ છે, જો તેનું ધ્યાન રાખશે, તો તેના પર કાબૂ કરી રાખશે, અને જો છોડી દે શો તો તે જતું રહેશે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 5031]
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કુરઆનને વાંચનાર, તેની તિલાવત કરનાર, -ભલે તે કુરઆન જોઈને પઢે અથવા પોતાની યાદશક્તિ પ્રમાણે મોઢે પઢે- નું ઉદાહરણ ઊંટ બાંધનાર સાથે કર્યું છે, જેમકે ખૂંટી સાથે ઊંટના દોરડા બાંધેલા છે, જો તે તેને પકડી રાખશે, તો તે જળવાઈ રહેશે, અને જો છોડી દેશે તો તેઓ જતાં રહેશે, એવી જ રીતે જો કુરઆનને પઢતો રહેશે, તો તેને યાદ રહેશે, અને જો પઢવાનું છોડી દેશે તો ભૂલી જશે, જ્યાં સુધી પઢવાનું ચાલુ રહેશે ત્યાં સુધી કુરઆન યાદ રહેશે.