+ -

عَنْ عَائِشَةَ أُمِّ المؤْمنينَ رَضيَ اللهُ عنها قَالَت:
كَانَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ إِذَا أَتَى الْمَرِيضَ يَدْعُو لَهُ قَالَ: «أَذْهِبِ الْبَاسَ، رَبَّ النَّاسِ، وَاشْفِ أَنْتَ الشَّافِي، لَا شِفَاءَ إِلَّا شِفَاؤُكَ، شِفَاءً لَا يُغَادِرُ سَقَمًا».

[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 2191]
المزيــد ...

ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેમણે કહ્યું:
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે કોઈ બિમારની ખબરઅંતર લેતા તો આ દુઆ પઢતા: «"અઝ્હિબિલ્ બઅસ, રબ્બન્નાસ, વશ્ફિ અન્તશ શાફી, લા શિફાઅ ઇલ્લા શિફાઉક, શિફાઅન્ લા યુગાદિરુ સકમન્" અર્થ: તકલીફોને દૂર કરી દે, હે માનવીઓના પાલનહાર! તેને તંદુરસ્તી આપ, તું જ તંદુરસ્તી આપનાર છે, તંદુરસ્તી તે જ છે, જે તારા તરફથી હોય, એવી તંદુરસ્તી આપ કે જેના પછી સહેજ પણ બીમારી બાકી ન રહે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 2191]

સમજુતી

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે કોઈ બીમારની ખબરગીરી માટે જતા તો આ દુઆ પઢતા હતા: હે અલ્લાહ! (ખતમ કર) છુટકારો આપ (તકલીફ) બીમારીની સખતી (લોકોના પાલનહાર) સર્જનનો રબ અને તેમનો વ્યવસ્થાપક , (તું શિફા આપ) આ બીમારીથી (તું જ) તું દરેક ખામીઓથી પાક છે, (તું શિફા આપનાર છે) હું તારા પવિત્ર નામ અશ શાફી દ્વારા સવાલ કરું છું, (કોઈ શિફા નથી) આ બીમારી જે આવી છે (તારી શિફા વગર) તારી આફીયત વગર, (શિફા) સામાન્ય કોઈ બીમારી માટે માંગવામાં આવતી શિફા (ન રહે) બાકી ન રહેવી જોઈએ અને છૂટવી ન જોઈએ (સકમા) બીજી બીમારી.

હદીષથી મળતા ફાયદા

  1. "અશ્ શાફી" (તંદુરસ્તી આપનાર) તે સર્વશ્રેષ્ઠ અલ્લાહ તઆલા છે, ડોકટર અને દવા બન્ને તો સ્ત્રોત છે, અલ્લાહની ઈચ્છા વગર તેમનામાં ફાયદો પહોંચાડવા અથવા નુકસાન દૂર કરવાની શક્તિ નથી.
  2. બીમારની ખબરગીરી કરવી તે મુસલમાનોના એકબીજા પર જરૂરી અધિકારો માંથી છે અને ઘરવાળાઓ તો વધુ હક ધરાવે છે.
  3. જ્યારે બીમારની ખબરગીરી કરવા જાઓ, તો પવિત્ર સુન્નત દ્વારા સાબિત દુઆ પઢવા પર પ્રોત્સાહન આપ્યું છે.
  4. કુરઆન અને સુન્નતથી સાબિત દુઆ શરઇ રુકિય્યહ કરવા પર આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ માર્ગદર્શન આપ્યું છે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતે જ્યારે બીમાર રહેતા તો આ દમ કરતા હતા, એવી જ રીતે ઘરવાળાઓ માંથી કોઈ બીમાર હોતું, તો આપ દમ કરતા હતા અને એ સિવાય કોઈ પણ બીમાર વ્યક્તિ પર દમ કરતા હતા.
  5. ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: બીમારની તંદુરસ્તી માટે દુઆ કરવી, જો કે હદીષમાં વર્ણન થયા મુજબ, તો બીમારી ગુનાહોના કફ્ફારોનો એક મોટો સ્ત્રોત છે, તો આ કેમ, તેનો જવાબ એ છે કે દુઆ કરવી એક ઈબાદત છે, તે સવાબ અથવા કફ્ફારા વિરુદ્ધ નથી; કારણકે તેને બીમારી પહોંચતા જ તેના સબર કરવા પર મળે છે, દુઆ કરનાર બે નેકીઓ વચ્ચે હોય છે: તે તેને ફાયદો પહોંચાડશે અથવા તો તેના તરફ કોઈ ફાયદો ખેંચી લાવશે અથવા તો તેને કોઈ નુકસાનથી બચવાશે, આ દરેક અલ્લાહની કૃપા છે.
ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા સ્વાહીલી તામિલ થાય આસામી الأمهرية الهولندية
ભાષાતર જુઓ
વધુ