+ -

عَنْ أَنَسِ بْنِ مَالِكٍ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ:
«الدُّعَاءُ لاَ يُرَدُّ بَيْنَ الأَذَانِ وَالإِقَامَةِ».

[صحيح] - [رواه أبو داود والترمذي والنسائي] - [سنن الترمذي: 212]
المزيــد ...

અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«અઝાન અને ઈકામત દરમિયાન દુઆ રદ કરવામાં નથી આવતી».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ ઈબ્ને હિબ્બાન રહિમહુલ્લાહએ રિવાયત કરી છે - An-Nasaa’i] - [સુનન્ અત્ તિર્મિઝી - 212]

સમજુતી

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અઝાન અને ઈકામત વચ્ચે દુઆ કરવાની મહત્ત્વતા વર્ણન કરી; કારણકે તે રદ કરવામાં નથી આવતી, તેનો જવાબ આપવામાં આવે છે માટે તમે તે સમયે અલ્લાહથી દુઆ કરો.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી સ્વાહીલી પૂશ્તો આસામી الأمهرية الهولندية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. આ સમયે દુઆ કરવાની મહત્ત્વતા.
  2. જ્યારે એક દુઆ કરનાર વ્યક્તિ દુઆ કરવામાં આદાબનો ખ્યાલ કરશે, અને દુઆ કબૂલ થવાના મહત્તમ સમયોનો ખ્યાલ કરશે, તેમજ અલ્લાહની અવજ્ઞા કરવાથી બચીને રહેશે, પોતાને મનેચ્છા અને શંકાસ્પદ વસ્તુઓથી બચાવશે, અને અલ્લાહ તઆલા પ્રત્યે સારું અનુમાન લગાવશે, તો અલ્લાહ તેની દુઆનો જરૂર જવાબ આપશે, ઇન્ શાઅ અલ્લાહ
  3. ઇમામ મનાવી રહિમહુલ્લાહએ કહ્યું: દુઆ કબૂલ કરવામાં આવશે અર્થાત્: દુઆ કરવાના સંપૂર્ણ આદાબ, તેના અરકાનનો ખ્યાલ કરતા, દુઆ કરવામાં આવે, જો તેમાંથી કોઈ આદાબ અથવા અરકાન છૂટી જાય, તો તે પોતે તેનો જવાબદાર ગણાશે.
  4. દુઆ કબૂલ કરવા માટે: જે દુઆ તેણે કરી હોય, તેને તે પ્રમાણે તરત જ આપવામાં આવે છે, અથવા તેનાથી કોઈ બુરાઈ દૂર કરવામાં આવે, અથવા તેની દુઆને આખિરત માટે સાચવીને રાખવામાં આવે છે, આ દરેક વસ્તુ અલ્લાહની હિકમત અને તેની કૃપા પ્રમાણે હોય છે.
વધુ