عَنْ أَبِي هُرَيْرَةَ رَضيَ اللهُ عنهُ سمعتُ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يقولُ:
«أَلاَ إِنَّ الدُّنْيَا مَلْعُونَةٌ، مَلْعُونٌ مَا فِيهَا، إِلاَّ ذِكْرُ اللهِ وَمَا وَالاَهُ وَعَالِمٌ أَوْ مُتَعَلِّمٌ».
[حسن] - [رواه الترمذي وابن ماجه] - [سنن الترمذي: 2322]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા:
«ખરેખર આ દુનિયા શાપિત છે, અને તેમાં રહેલી દરેક વસ્તુ પણ શાપિત છે, અલ્લાહના નામના સ્મરણ સિવાય, અથવા જે તેના બરાબર છે, અને આલિમ અને વિદ્યાર્થીઓ સિવાય».
[હસન] - [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સુનન્ અત્ તિર્મિઝી - 2322]
અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે દુનિયા અને તેમાં રહેલી દરેક વસ્તુઓ અલ્લાહ પાસે શાપિત, નિંદનીય, ત્યજી દીધેલી, ધૃતકારેલી તેમજ છોડી દીધેલી છે અને ન તો વખાણને પાત્ર છે; કારણકે દુનિયા અને તેમાં રહેલી દરેક વસ્તુ ઉચ્ચ અલ્લાહથી વિચલિત અને દૂર કરી દે છે, અલ્લાહના નામનું સ્મરણ, અને જે તેની સમાન હોય, અથવા તેમાંથી જ હોય, અથવા જેને અલ્લાહ પસંદ કરે તે સિવાય, અથવા આલિમ અથવા વિદ્યાર્થીઓ સિવાય, જે કુરઆન અને હદીષનું ઇલ્મ શીખે છે અથવા લોકોને શીખવાડે છે.