عَنِ الزُّبَيْرِ بْنِ العَوَّامِ رَضِيَ اللَّهُ عَنْهُ عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«لَأَنْ يَأْخُذَ أَحَدُكُمْ حَبْلَهُ، فَيَأْتِيَ بِحُزْمَةِ الحَطَبِ عَلَى ظَهْرِهِ، فَيَبِيعَهَا، فَيَكُفَّ اللَّهُ بِهَا وَجْهَهُ خَيْرٌ لَهُ مِنْ أَنْ يَسْأَلَ النَّاسَ أَعْطَوْهُ أَوْ مَنَعُوهُ».
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 1471]
المزيــد ...
ઝુબૈર બિન્ અવ્વામ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«તમારા માંથી કોઈ વ્યક્તિ પોતાના દોરડા લઈ પહાડ પર ચઢી જાય અને ત્યાંથી લાકડીઓનું એક જથ્થો બાંધી પોતાની પીઠ પર ઉઠાવી લઈ આવે અને તે તેને વેચી, તેના દ્વારા અલ્લાહએ તેને માંગવાથી બચાવી લીધો, તો આ પ્રક્રિયા કોઈની જોડે માંગવાથી શ્રેષ્ઠ છે, લોકો ઈચ્છે, તો તેને આપે અથવા ઈચ્છા ન હોય તો ન આપે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહુલ્ બુખારી - 1471]
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે લોકો માંથી એક વ્યક્તિ કોઈ પણ મહેનત કરે, જેમ કે તે પોતાનું દોરડું લઈ એક પહાડ પર જતો રહે, અને તે ત્યાં લાકડીઓ ભેગી કરે અને તેને દોરડાથી બાંધી પોતાની પીઠ પર ઉઠાવી લાવે, અને તેને વેચે, તેની કિંમત પોતે પણ ખાય, તેમાંથી સદકો પણ કરે, તેમજ લોકો પાસેથી માંગવાથી બેનિયાજ રહ્યો, તે પોતે અપમાનિત થવાથી બચીને રહ્યો, આ મહેનત અને પ્રક્રિયા બહેતર છે, તેના કરતાં કે તે કોઈની પાસે માંગે, જેઓ ક્યારેક ઈચ્છા હોય તો આપે અને ઈચ્છા ન હોય તો ન આપે, માટે લોકો પાસે માંગવું અપમાનિત થવાનું કારણ છે અને મોમિન માનનીય છે, અપમાનિત નહીં.