+ -

عَنْ أَنَسِ بْنِ مَالِكٍ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ: مَا خَطَبَنَا نَبِيُّ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ إِلَّا قَالَ:
«لَا إِيمَانَ لِمَنْ لَا أَمَانَةَ لَهُ، وَلَا دِينَ لِمَنْ لَا عَهْدَ لَهُ».

[حسن لغيره] - [رواه أحمد] - [مسند أحمد: 12383]
المزيــد ...

અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: જ્યારે પણ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અમને સંબોધિત કર્યા, આ વાત જરૂર કહી:
«તે વ્યક્તિ પાસે કોઈ ઈમાન નથી જેની પાસે અમાનતદારી ન હોય, અને તે વ્યક્તિ પાસે દીન નથી જે વચનનું પાલન ન કરતો હોય».

- [આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [મુસ્નદ એહમદ - 12383]

સમજુતી

અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુએ જણાવ્યું કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ભાગ્યે જ કોઈ એવો ઉપદેશ આપતા જેમાં આ બે બાબતોનો ઉલ્લેખ જરૂર કરતાં: પહેલી બાબત: જે વ્યક્તિ પોતાના માલ, નફસ અને ખાનદાન બાબતે ખિયાનત કરશે તેનું ઈમાન સંપૂર્ણ નથી. બીજી બાબત: જે વચનો પૂરા નથી કરતો, તેને તોડી નાખે છે, તેનું દીન પણ સંપૂર્ણ નથી.

હદીષથી મળતા ફાયદા

  1. અમાનતદારી કરવા અને વચનો પૂરા કરવા પર ઉભાર્યા છે, તેની અછત ઈમાનની અછત છે.
  2. ખિયાનત કરવા અને વચન ભંગ કરવાથી સચેત કર્યા છે, અને તે મહાપાપો માંથી એક છે.
  3. આ હદીષમાં તે દરેક અમાનત અને વચનોની સુરક્ષા કરવા પર ઉભાર્યા છે જે અલ્લાહ વચ્ચે હોય અને જે સર્જનના એકબીજા વચ્ચે હોય.
ભાષાતર: અંગ્રેજી ઇન્ડોનિષયન સિન્હાલા વિયેતનામીસ હૌસા સ્વાહીલી આસામી الهولندية الرومانية المجرية الجورجية
ભાષાતર જુઓ
વધુ