عَنْ أَنَسِ بْنِ مَالِكٍ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ: مَا خَطَبَنَا نَبِيُّ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ إِلَّا قَالَ:
«لَا إِيمَانَ لِمَنْ لَا أَمَانَةَ لَهُ، وَلَا دِينَ لِمَنْ لَا عَهْدَ لَهُ».
[حسن لغيره] - [رواه أحمد] - [مسند أحمد: 12383]
المزيــد ...
અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: જ્યારે પણ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અમને સંબોધિત કર્યા, આ વાત જરૂર કહી:
«તે વ્યક્તિ પાસે કોઈ ઈમાન નથી જેની પાસે અમાનતદારી ન હોય, અને તે વ્યક્તિ પાસે દીન નથી જે વચનનું પાલન ન કરતો હોય».
- [આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [મુસ્નદ એહમદ - 12383]
અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુએ જણાવ્યું કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ભાગ્યે જ કોઈ એવો ઉપદેશ આપતા જેમાં આ બે બાબતોનો ઉલ્લેખ જરૂર કરતાં: પહેલી બાબત: જે વ્યક્તિ પોતાના માલ, નફસ અને ખાનદાન બાબતે ખિયાનત કરશે તેનું ઈમાન સંપૂર્ણ નથી. બીજી બાબત: જે વચનો પૂરા નથી કરતો, તેને તોડી નાખે છે, તેનું દીન પણ સંપૂર્ણ નથી.