+ -

عَنْ سَلْمَانَ الْفَارِسِيِّ رَضيَ اللهُ عنه قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ:
«ثَلَاثَةٌ لَا يُكَلِّمُهُمُ اللَّهُ يَوْمَ الْقِيَامَةِ وَلَا يُزَكِّيهِمْ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ: أُشَيْمِطٌ زَانٍ، وَعَائِلٌ مُسْتَكْبِرٌ، وَرَجُلٌ جَعَلَ اللَّهَ لَهُ بِضَاعَةً، فَلَا يَبِيعُ إِلَّا بِيَمِينِهِ وَلَا يَشْتَرِي إِلَّا بِيَمِينِهِ».

[صحيح] - [رواه الطبراني] - [المعجم الصغير: 821]
المزيــد ...

સલમાન ફારસી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«ત્રણ વ્યક્તિઓ એવા છે, જેમની સાથે ન તો વાત કરવામાં આવશે, ન તો તેમને પવિત્ર કરવામાં આવશે અને તેમના માટે દુઃખદાયી અઝાબ હશે: વ્યભિચાર કરનાર વૃદ્ધ વ્યક્તિ, ઘમંડ કરનાર ગરીબ વ્યક્તિ અને તે વ્યક્તિ જેણે અલ્લાહના નામને જ વેપાર બનાવી લીધો હોય, જે ખરીદી કરે તો પણ અલ્લાહની કસમ ખાઈને કરે અને વેચાણ કરે તો પણ અલ્લાહની કસમ ખાઈને કરે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [At-Tabaraani]

સમજુતી

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ લોકો માંથી ત્રણ વ્યક્તિઓ વિશે જણાવ્યું, જેઓ કયામતના દિવસે અલ્લાહના ગુસ્સાના કારણે સજાના હકદાર બનશે, જો તેઓ તૌબા ન કરે અથવા માફી ન માંગે તો: પહેલો અઝાબ: કયામતના દિવસે અલ્લાહ વાત નહીં કરે, પોતાના સખત ગુસ્સાના કારણે, અને તેમનાથી મોઢું ફેરવી લેશે, જો કલામ કરશે તો સરળ કલામ નહીં હોય, પરંતુ ગુસ્સો અને નારાજગી સાથે કલામ કરશે. બીજો અઝાબ: તેમને પવિત્ર નહીં કરે, ન તો તેમની પ્રશંસા કરશે અને ન તો તેમને ગુનાહોથી પાક કરશે. ત્રીજો અઝાબ: તેમના માટે આખિરતમાં સખત અઝાબ હશે. તે ત્રણેય લોકો: પહેલો વ્યક્તિ: તે વૃદ્ધ વ્યક્તિ, જે વ્યભિચાર કરતો હોય. બીજો વ્યક્તિ: એવો ગરીબ જેની પાસે કંઈ માલ ન હોય તો પણ તે લોકો સામે ઘમંડ કરતો હોય. ત્રીજી વ્યક્તિ: જે વેપાર ધંધામાં અલ્લાહનું નામ વધુ લેતો હોય, ખરીદી કરવામાં અને વેચાણ કરતી વખતે તે અલ્લાહની કસમ ખાઈ વેચતો હોય, અથવા માલ વેચવા માટે વસિલો બનાવતો હોય.

હદીષથી મળતા ફાયદા

  1. ઈમામ કાઝી ઇયાઝ રહિમહુલ્લાહએ તેમને સખત સજા થવાના કારણ વિષે કહ્યું: તેમના માંથી દરેક લોકોએ વર્ણવેલ પાપો કર્યા, જો કે તેઓ તેની એટલા દૂર હતા જેની કોઈ જરૂર ન હતી, અને તેના સ્ત્રોત પણ કમજોર હતા; કોઈનો કોઈ પણ પાપ માફ કરવામાં નહીં આવે, પરંતુ આ ગુનાહને કરવા માટે પરેશાન થવાની જરૂર ન હતી, અને ન તો કોઈ સામાન્ય સ્ત્રોત, એટલા માટે આ ગુનાહ આચરવામાં તેમનું આચરણ હઠીલાપણું, સર્વશક્તિમાન અલ્લાહના અધિકારોને વેડફવા અને અન્ય કોઈ જરૂરિયાત વિના તેની અવજ્ઞા કરવાના ઇરાદા જેવું છે.
  2. વ્યભિચાર, જૂઠ અને ઘમંડ આ ત્રણેય ગુનાહ કબીરહ ગુનાહ (મહાપાપ) માંથી છે.
  3. ઘમંડ: સત્યનો અસ્વીકાર અને લોકોને તુચ્છ સમજવા.
  4. આ હદીષમાં વધુ પ્રમાણમાં વેપારમાં અલ્લાહની કસમ પર સચેત કરવામાં આવ્યા છે અને કસમ અને પવિત્ર અલ્લાહના નામોનો આદર અને સન્માન કરવા પર પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે, અલ્લાહ તઆલાએ કહ્યું: {પોતાની કસમોમાં અલ્લાહ તઆલાને આડ ન બનાવશો} [અલ્ બકરહ: ૩૨].
ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ કુરદી હૌસા પુરતગાલી સ્વાહીલી થાય આસામી الأمهرية الهولندية الدرية الرومانية المجرية الجورجية المقدونية الخميرية الماراثية
ભાષાતર જુઓ
વધુ