+ -

عَنْ أَبِي هُرَيْرَةَ رَضيَ اللهُ عنه قَالَ:
جَاءَ رَجُلٌ إِلَى رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ: يَا رَسُولَ اللهِ، أَرَأَيْتَ إِنْ جَاءَ رَجُلٌ يُرِيدُ أَخْذَ مَالِي؟ قَالَ: «فَلَا تُعْطِهِ مَالَكَ» قَالَ: أَرَأَيْتَ إِنْ قَاتَلَنِي؟ قَالَ: «قَاتِلْهُ» قَالَ: أَرَأَيْتَ إِنْ قَتَلَنِي؟ قَالَ: «فَأَنْتَ شَهِيدٌ»، قَالَ: أَرَأَيْتَ إِنْ قَتَلْتُهُ؟ قَالَ: «هُوَ فِي النَّارِ».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 140]
المزيــد ...

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું:
એક વ્યક્તિએ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવીને કહ્યું: હે અલ્લાહના પયગંબર! જો કોઈ આવીને મારી પાસે મારો માલ લુટીલે તો મારે શું કરવું જોઈએ)? «આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કહ્યું: તેને પોતાનો માલ ન આપો», તે વ્યક્તિએ કહ્યું: તે મારી પાસે ઝઘડો કરે તો? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તો પછી તેની સાથે તમે પણ ઝઘડો કરો», તેણે કહ્યું: તે મારું કતલ કરી દે તો? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «આવી પરિસ્થિતિમાં તમે શહીદ ગણવામાં આવશો», તેણે સવાલ કર્યો: જો હું તેનું કતલ કરી દઉં તો? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «એવી સ્થિતિમાં તે જહન્નમમાં જશે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 140]

સમજુતી

એક વ્યક્તિ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યો અને કહ્યું: હે અલ્લાહના પયગંબર! જો કોઈ વ્યક્તિ આવીને મારો માલ લુટે તો મારે શું કરવું જોઈએ? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તમે તમારો માલ તેના હવાલે કરવા તેમજ તેની વાત માની લેવાના પાબંદ નથી, તેણે કહ્યું: તે મારી સાથે ઝઘડો કરે તો? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તમે પણ તેની સાથે ઝઘડો કરો, તેણે કહ્યું: તે મારું કતલ કરી દે તો? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તો તમને શહીદ ગણવામાં આવશે, તેણે કહ્યું : હું તેને કતલ કરી દઉં તો? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તેની સજા કયામતના દિવસે તે જહન્નમ હશે.

હદીષથી મળતા ફાયદા

  1. ઇમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: સ્ત્રીઓનું રક્ષણ કરવું કોઈ પણ વિવાદ વગર જરૂરી છે, કતલ વડે પોતાના પ્રાળનું રક્ષણ કરવામાં અમારું મંતવ્ય અને અન્યના મંતવ્ય અલગ છે, માલની રક્ષા કરવી જાઈઝ છે, જરૂરી નથી.
  2. આ હદીષ વડે જાણવા મળ્યું કે અમલ કરતા પહેલા ઇલ્મ પ્રાપ્ત કરવું જોઈએ, જેવી રીતે કે સહાબી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને અમલ અને પરિસ્થિતિ પહેલા પૂછી રહ્યા છે કે મારે શું કરવું જોઈએ.
  3. હુમલાખોરને લડવાનું શરૂ કરતા પહેલા ધીમે ધીમે ઉપદેશ આપીને અથવા મદદ માટે બોલાવીને ભગાડવો જોઈએ, જો તે તેની સાથે લડવાનું શરૂ કરે, તો તેની ચિંતા તેને ભગાડવાની હોવી જોઈએ, મારવાની નહીં.
  4. એક મુસલમાનના પ્રાળ, તેનો માલ અને તેની ઇઝ્ઝત બીજા મુસલમાન પર હરામ છે.
  5. ઇમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: જાણી લો કે શહીદના ત્રણ પ્રકાર છે; તેમાંથી એક એવો વ્યક્તિ, જે કાફિરો સામે યુદ્ધમાં લડાઈના કોઈપણ કારણોસર માર્યો ગયો હોય, તેના પર આખિરતના સવાબ અને દુનિયાના હુકમોમાં શહીદો જેવો જ નિર્ણય લાગુ પડશે, અર્થાત્ તેને ગુસલ આપવામાં પણ નહીં આવે અને તેની જનાઝાની નમાઝ પણ પઢવામાં નહીં આવે, બીજો સવાબની દ્રષ્ટિએ તે શહીદ ગણવામાં આવશે, પણ દુન્યવી હુકમોની દ્રષ્ટિએ નહીં, જેમ કે જે પેટના રોગથી મૃત્યુ પામવું, તાઊનની બીમારીમાં મૃત્યુ પામવું, ઉંચેથી પડીને મૃત્યુ પામવું, ઈમારતની નીચે દબાઈને મૃત્યુ પામવું, પોતાના માલની રક્ષા કરતા મૃત્યુ પામે અને અન્ય લોકો જેમણે હદીષમાં શહીદ કહેવામાં આવ્યા હોય, આ પ્રકારના લોકોને ગુસલ આપવામાં આવશે અને તેમની જનાઝાની નમાઝ પણ પઢવામાં આવશે, તેને આખિરતમા શહીદનો દરજ્જો પ્રાપ્ત થશે, તે જરૂરી નથી કે તેને પહેલા પ્રકારના લૂકો માફક સવાબ મળે, ત્રીજો તે વ્યક્તિ જે કાફિર સામે યુદ્ધમાં ગનીમતના માલમાં ખિયાનત કરતા પકડાઈ જાય અને તેનું કતલ કરવામાં આવે, જેવું કે હદીષમાં વર્ણન કરવામાં આવ્યું છે, તો દુનિયામાં તો તેના પર શહીદના આદેશો લાગુ પડશે, જેમ કે તેમને ગુસલ પણ આપવામાં નહીં આવે અને ન તો તેમની જનાઝાની નમાઝ પઢવામાં આવશે, પરંતુ આખિરતમાં શહીદને પ્રાપ્ત થનારા પુરસ્કાર તેમને નહીં મળે.
ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી સ્વાહીલી થાય આસામી الأمهرية الدرية الرومانية المجرية الجورجية الخميرية الماراثية
ભાષાતર જુઓ
વધુ