عَنِ ابْنِ عُمَرَ رَضيَ اللهُ عنهما قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«إِذَا جَمَعَ اللهُ الْأَوَّلِينَ وَالْآخِرِينَ يَوْمَ الْقِيَامَةِ يُرْفَعُ لِكُلِّ غَادِرٍ لِوَاءٌ، فَقِيلَ: هَذِهِ غَدْرَةُ فُلَانِ بْنِ فُلَانٍ».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 1735]
المزيــد ...
ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«જ્યારે અલ્લાહ તઆલા કયામતના દિવસે આગલા અને પાછલા દરેક લોકોને ભેગા કરશે, તો દરેક વચનભંગ કરનાર માટે એક ઝંડો ઊંચો કરવામાં આવશે, અને કહેવામાં આવશે: આ ફલાણા અને ફલાણાના પુત્રના વચનભંગનું (નિશાન) છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 1735]
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે ખરેખર અલ્લાહ તઆલા કયામતના દિવસે દરેક આગલા અને પાછલા લોકોને તેમનો હિસાબ લેવા માટે ભેગા કરશે, દરેક વિદ્રોહી, જેણે અલ્લાહ અથવા લોકો સાથે કરેલ વચનમાં વિશ્વાસઘાત કાર્યો હશે, તો એક નિશાની દ્વારા તેમના વિશ્વાસઘાતને જાહેર કરવામાં આવશે, અને તે દિવસે તેમને આ રીતે બોલાવવામાં આવશે: આ ફલાણા અને ફલાણાના પુત્રનો વિશ્વાસઘાત છે; જેથી મહેશરના લોકો સામે તેમના ખરાબ કૃત્યોને જાહેર કરવામાં આવે.