عَن أَبي عَبْدِ اللهِ الْجَدَلِيِّ قَالَ: سَأَلْتُ عَائِشَةَ أُمِّ المؤْمنينَ رَضيَ اللهُ عنها عَنْ خُلُقِ رَسُولِ اللهِ صلى الله عليه وسلم فَقَالَتْ:
لَمْ يَكُنْ فَاحِشًا وَلَا مُتَفَحِّشًا وَلَا صَخَّابًا فِي الْأَسْوَاقِ، وَلَا يَجْزِي بِالسَّيِّئَةِ السَّيِّئَةَ وَلَكِنْ يَعْفُو وَيَصْفَحُ.
[صحيح] - [رواه الترمذي وأحمد] - [سنن الترمذي: 2016]
المزيــد ...
અબૂ અબ્દુલ્લાહ અલ્ જદલી રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હાને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના અખ્લાક વિશે સવાલ કર્યો, તો તેમણે જવાબ આપ્યો:
ન તો આપ અપશબ્દો બોલતા હતા ન તો આપ ગંદી વાત કહેતા અને ન તો આપ કોઈ ખરાબ કામમાં પડતા, બજારમાં ન તો રાડો પાડી વાત કરતા હતા અને ન તો આપ બુરાઈનો બદલો બુરાઈથી આપતા હતા પરંતુ આપ માફી અને દરગુજરથી કામ લેતા હતા.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે] - [સુનન્ અત્ તિર્મિઝી - 2016]
આયશા રઝી અલ્લાહુ અન્હાએ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના અખ્લાક વિશે સવાલ કરવામાં આવ્યો, તેમણે કહ્યું: તેમના કાર્યો અને વાતો અશ્લીલ અને ખરાબ ન હતી, ન તો તેઓ ખરાબ વાત અથવા કાર્યોમાં સાથ આપતા હતા ન તો બજારમાં જોર જોરથી રાડો પાડતા અને ન તો બુરાઈનો બદલો બુરાઈ વડે લેતા, પરંતુ બુરાઈનો બદલો સારી રીતે લેતા, આંતરિક રીતે માફ કરી દેતા અને જાહેરમાં મોઢું ફેરવી લેતા.