عَنْ عُقْبَةَ بْنَ عَامِرٍ الْجُهَنِيَّ رضي الله عنه قَالَ:
ثَلَاثُ سَاعَاتٍ كَانَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَنْهَانَا أَنْ نُصَلِّيَ فِيهِنَّ، أَوْ أَنْ نَقْبُرَ فِيهِنَّ مَوْتَانَا: حِينَ تَطْلُعُ الشَّمْسُ بَازِغَةً حَتَّى تَرْتَفِعَ، وَحِينَ يَقُومُ قَائِمُ الظَّهِيرَةِ حَتَّى تَمِيلَ الشَّمْسُ، وَحِينَ تَضَيَّفُ الشَّمْسُ لِلْغُرُوبِ حَتَّى تَغْرُبَ.
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 831]
المزيــد ...
ઉકબા બિન આમિર અલ્ જુહની રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું:
ત્રણ સમય એવા છે જેમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અમને નમાઝ પઢવા અને પોતાના મૃતકોને દફન કરવાથી રોકતા હતા: જ્યારે સુર્ય નીકળવા લાગે, અહીં સુધી કે તે સંપૂર્ણ રીતે ઊંચો થઈ જાય, જ્યારે સુર્ય આકાશમાં વચ્ચે વચ હોય અહીં સુધી કે તે ઢળવા લાગે, જ્યારે સૂર્ય ડૂબવા લાગે અહીં સુધી કે તે સંપૂર્ણ ડૂબી જાય.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 831]
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દિવસના ત્રણ સમયોમાં નફિલ નમાઝ પઢવાથી અને કબરમાં મૃતકોને દફન કરવાથી રોક્યા છે: પહેલો સમય: જ્યારે સુર્ય ઊગવા લાગે, આ ત્યારે થાય છે જ્યારે સુર્ય પહેલી વખત એક ભાલા બરાબર ઉપર આવે છે, અને તેનો સમય અંદાજિત રીતે પંદર મિનિટ જેટલો હોય છે. બીજો સમય: જ્યારે સુર્ય મધ્ય આકાશમાં હોય, અને તેનો પડછાયો પૂર્વ અથવા પશ્ચિમ તરફ ન હોય, અને જ્યાં સુધી તે મધ્ય આકાશ માંથી પશ્ચિમ તરફ ઢળવાનું શરૂ ન કરે, અને જ્યારે તેનો પડછાયો પૂર્વ તરફ દેખાવા ન લાગે ત્યારબાદ ઝુહરની નમાઝનો સમય શરૂ થાય છે, અને તે થોડોક જ સમય હોય છે, અંદાજિત રીતે તે પાંચ મિનિટનો સમય હોય છે. ત્રીજો સમય: જ્યારે સુર્ય ઢળવા લાગે, અહીં સુધી કે તે સંપૂર્ણ રીતે ડૂબી જાય.