عَنْ عَبْدِ اللَّهِ بْنِ مَسْعُودٍ رَضِيَ اللَّهُ عَنْهُ رَفَعَهُ:
فِي قَوْلِ اللَّهِ عَزَّ وَجَلَّ: {وَمَنْ يُرِدْ فِيهِ بِإِلْحَادٍ بِظُلْمٍ نُذِقْهُ مِنْ عَذَابٍ أَلِيمٍ} [الحج: 25] قَالَ: «لَوْ أَنَّ رَجُلًا هَمَّ فِيهِ بِإِلْحَادٍ وَهُوَ بِعَدَنِ أَبْيَنَ لَأَذَاقَهُ اللَّهُ عَذَابًا أَلِيمًا».
[صحيح] - [رواه أحمد والحاكم] - [المستدرك على الصحيحين: 3461]
المزيــد ...
અબ્દુલ્લાહ બિન મસ્ઉદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા રિવાયત કરે છે:
સર્વશક્તિમાન અલ્લાહની આ આયત વિષે: {જે કોઈ જુલમ કરતા મસ્જિદે હરામમાં અવજ્ઞા કરશે, આવા લોકોને અમે દુ:ખદાયી અઝાબ ચખાડીશું} [અલ્ હજ્જ: ૨૫] કહ્યું: «જે વ્યક્તિ પણ મક્કાહના હરમમાં જુલમ કરવાનો ઇરાદો કરશે, ભલે તે અદન (યમનના એક શહેર)નો રહેવાસી કેમ ન હોય, તો અલ્લાહ તેને દુ:ખદાયી અઝાબ આપશે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - - [અલ્ મુસ્તદરક અલસ-સહીહૈન - 3461]
અબ્દુલ્લાહ બિન મસ્ઉદ રઝી અલ્લાહુ અન્હુએ અલ્લાહ તઆલાની આ આયત વિષે જણાવ્યું: {જે કોઈ જુલમ કરતા મસ્જિદે હરામમાં અવજ્ઞા કરશે, આવા લોકોને અમે દુ:ખદાયી અઝાબ ચખાડીશું} [અલ્ હજ્જ: ૨૫] કહ્યું: જો કોઈ વ્યક્તિ મક્કાહના હરમમાં કોઈ ખરાબ કામ કરવાનો ઇરાદો કરે, અને પોતાની જુબાન વડે હરમની પવિત્રતાનું ઉલંઘન કરવાનો ઇરાદો કરે અથવા અત્યાચાર રૂપે કતલ કરે તે જુલમ છે, અને જે આ પ્રમાણેનો ઇરાદો તે યમનમાં આવેલા અદન શહેરમાં રહી કરે, તો તે તેના કારણે અલ્લાહના દુ:ખદાઈ અઝાબનો હકદાર બની જાય છે, ભલેને તે તે કાર્ય ન કરે, તેનો ઇરાદો અઝાબ માટે પૂરતો છે.